CATEGORIES
Categories
માત્ર સંપત્તિ નહીં, વારસામાં સંસ્કાર પણ આપી જવા જોઈએ...
જાતમહેનતે એટલે કે આપબળે મોટું વેપાર-ઉદ્યોગ સામ્રાજ્ય ઊભું કરનારા સાહસિકો તથા પિતા કે દાદાના વારસદાર તરીકે અબજોનો કારોબાર મેળવનારા લોકો વચ્ચે શું ફરક હોય?
આવી અંધશ્રદ્ધાનો ઈલાજ ક્યાં શોધવો?
બાળકોનું ભલું કરવું હોય તો એમનાં માતા-પિતાને કેટલીક પ્રથા અને ગેરમાન્યતા સામે જાગ્રત કરવાં પડશે.
જગતનું પેટ ભરનારો પોતે ભૂખ્યો રહે એ કેવું?
જમીનની ઉત્પાદકતા અને ખેત-ઉત્પન્ન વધારવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે અતિરેક થયો એનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. જમીનમાં હવે રસકસ રહ્યાં નથી અને ઘણા ખેડૂતો માટે ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે.
સૌરાષ્ટ્રને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા અનોખું મિશન...
પાણીની કિંમત શું છે એ વાત વારંવાર દુષ્કાળનો ભોગ બનતા સૌરાષ્ટ્રવાસીઓને સમજાવવી પડે એમ નથી. એક સમયે પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકતી હતી. એટલું જ નહીં, અમદાવાદથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ કદમ માંડી રહ્યું છે. તૂટેલા ચેકડેમનું રિનોવેશન અને નવાં તળાવ ઊભાં કરવાનું કામ અત્યારે અહીં એક મિશનના રૂપમાં થઈ રહ્યું છે. આવો, જાણીએ જળસંગ્રહની આ ઝુંબેશ વિશે.
જસ્ટ, એક મિનિટ...
‘તરુણાવસ્થામાં મારા પર કોઈ જવાબદારી નહોતી ને કલ્પના કરવા પર લગામ નહોતી.
કોઈ અણવર લજામણો ગાઓને..
સાત ફેરા ફરનારાં વર-વધૂને તો લગ્નપ્રસંગ જિંદગીભર યાદ રહે જ, પણ મહેમાનો સુદ્ધાં લગ્ન સાથે સંકળાયેલી નાની-મોટી સ્મૃતિ વાગોળતા રહે. આવી એક સ્મૃતિ એટલે ગીત-સંગીત અને ફટાણાં. આપણી સંસ્કૃતિમાં તો ગણેશસ્થાપનાથી લઈને પીઠીનાં, સાંજીનાં, માણેકથંભ રોપવા નાં, મોસાળનાં અને જાનપ્રસ્થાનથી કન્યાવિદાય સુધીનાં ગીતો છે.
સદીયોં કી પ્રતીક્ષા કે બાદ, હમારે રામ આ ગયે…
એક-એક શબ્દ છૂટો પાડીને, અત્યંત ગંભીરતાથી ઉદ્ઘોષાયેલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ કથન સાંભળીને રામમંદિરમાં ઉપસ્થિત ૭૫૦૦થી વધુ મહેમાનોનાં જ નહીં, પણ ભારત1-દુનિયાભરના કરોડો હિંદુઓનાં હૃદય અને ચક્ષુ બન્ને ભીનાં થઈ ગયાં. અભૂતપૂર્વ પ્લાનિંગ અને શ્રેષ્ઠ અમલીકરણ સાથે સંપન્ન થયેલી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યા નગરી વિશ્વનું ટોચનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને ભારતની સર્વોચ્ચ સાંસ્કૃતિક રાજધાની બની જાય એ દિવસ દૂર નથી.
કોણ અને કેમ કરે છે ઈટા કિટ્ટા?!
ગુજરાતી પડદે આવી રહી છે દત્તક સંતાનનું નવતર કથાનક ધરાવતી ફિલ્મ. 'ઈટ્ટા કિટ્ટા'માં માનસી પારેખ અને રોનક કામદાર: એક સંવેદનશીલ વિષયની સરસ માવજત કરતી ફિલ્મ છે આ.
રામજન્મભૂમિ.. ક્યારે શું બન્યું?
આ વિવાદ આમ તો પાંચસો વર્ષથી ચાલ્યો આવે છે, પણ ૧૯૮૯ પછીનો ઘટનાક્રમ ઝડપી તેમ જ નાટકીય છે. ‘ચિત્રલેખા’એ ૧૯૮૯થી અયોધ્યા સંબંધિત અનેક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. અયોધ્યાથી લઈને દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી પણ ‘ચિત્રલેખા’ના પત્રકારોએ સતત રામજન્મભૂમિ આંદોલનની માહિતી વાચકોને પીરસી છે. અહીં સંક્ષિપ્તમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો અથથી ઇતિ સુધીનો સાલવાર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
મંદિર તો સોમપુરા હી બનાયેંગે...
બાવીસ જાન્યુઆરીએ નિર્માણાધીન રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને હવે અયોધ્યામાં રામજન્મભૂમિ ના સ્થાન પર જ મંદિરનર્માણથી દેશવાસીઓમાં અનહદ ખુશી વ્યાપી ગઈ છે. ઉત્તર પ્રદેશવાસીઓનો ઉત્સાહ તો સાતમા આકાશે છે. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે અમદાવાદના જાણીતા મંદિર સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ આ મંદિરની ડિઝાઈન બનાવી છે.એમના બે પુત્રો પણ આ રામકાજમાં પિતાને સહાય કરી રહ્યા છે. મંદિર સ્થાપત્યનો પેઢીઓનો વારસો ધરાવતા સોમપુરાપરિવારનાં નામ-કામને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે એ ચોક્કસ.
રામને હવે તો ઘરમાં બિરાજમાન થવા દો...
બધા વિવાદ હાલપૂરતા કોરાણે મૂકી સમય છે અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ નિર્વિઘ્ને પાર પાડવાનો. માનીએ કે ન માનીએ, આ સવાલ કરોડો દેશવાસીઓની આસ્થાનો છે.
જસ્ટ, 9 એક મિનિટ...
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ શાળા શરૂ કરી હતી.
સ્મૃતિમાં સચવાયેલો સમય
આંગળીઓ સાચવી મૂકી દીધી મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી
યહી તો હૈ હમરા બિહાર
કોઈ પણ યુદ્ધ જીતવાનું અમોઘ અન્ન આખરે તો શત્રુનો અહંકાર જ હોય છે.
સોળ વર્ષે ન્યાય... સોળ મહિના પછી ફરી જેલયોગ?
ગુજરાતના બહુચર્ચિત બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડ કેસના અપરાધી ઓને સરકારે આપેલી સજામાફી અને જેલમુક્તિ રદ કરીને સુપ્રીમ કોર્ટે એમને ફરી જેલમાં જવાનો આદેશ આપ્યો. બિલ્કિસ બાનો: સરકાર પાસેથી હજી ઘર મળ્યું નથી!
શું છે આ એક... બે... ત્રણ?
દેશની પહેલી બુલેટ ટ્રેનના પહેલા સ્ટેશન પછી અમદાવાદમાં બન્યું છે રેલવે, બસ અને મેટ્રો એમ ત્રણ-ત્રણ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું જોડિયું મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ.
વણસેલા સંબંધ ઔર બગડશે!
ચીને ચિક્કાર આર્થિક મદદ આપવાની સાથોસાથ પગપેસારો શરૂ કર્યો ત્યારથી માલદીવ્સ એના સાખપડોશી ભારતથી દૂર થતું ગયું છે અને આ અંતર ઓછું થાય એવા સંજોગ અત્યારે તો દેખાતા નથી.
ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ ૧૬૬ વરસથી...
ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા ફિલ્મોત્સવમાં ગાજી ને હવે એને અયોધ્યાના રામમંદિરમાં સ્થાન મળશે...
દિવ્ય, ભવ્ય, સેવ્ય છે રામનું ઘર
અયોધ્યામાં ભગવાન શ્રીરામના નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે એ નિમિત્તે, આશરે છ દાયકાથી વિશ્વના ખૂણે ખૂણે રામકથાનું પાન કરાવતા રામાયણી સંત મોરારિબાપુ ‘ચિત્રલેખા’ના વાચકો સમક્ષ એમના મનોભાવ રજૂ કરે છે.
માણસ થવું એટલે વળી શું?
આ જગતને ચાહવાનું મન થયું લ્યો, મને માણસ થવાનું મન થયું.
કેમ વધી રહ્યું છે હોમ સિક્યોરિટી સિસ્ટમ વસાવવાનું પ્રમાણ?
ઘરની સુરક્ષા અને બાળકો-વડીલોની સલામતીની ફિકર રહેતી હોય તો અનેક વિકલ્પ છે ઉપલબ્ધ.
એક માનામાં એને જબાન નહોતી...આજે એ લોકોને બોલતા ડરે છે!
સૌરાષ્ટ્રના ગામડાની એક અતિ ગભરુ યુવતી. કોઈની સામે એની જીભ ન ઊપડે. વર્ષો સુધી ક્યાંય એકલી ગઈ સુદ્ધાં નહોતી. લગ્ન પછી પરિવારથી સેંકડો માઈલ દૂર જવું પડ્યું એ પછી ‘કોઈ પણ સંજોગમાં જીવતાં શીખવું પડશે’ એ હકીકતે એને જાણે બોલતી કરી... અને આજે ૩૦ વર્ષે એક ખ્યાતનામ ઈન્ટરનૅશનલ ટ્રાન્સફોર્મેશનલ કોચ તરીકે એ દેશ-વિદેશના લોકોને શિક્ષણ કે વ્યાવસાયિક ક્ષેત્રે આગળ આવવામાં મદદ કરે છે.
અયોધ્યા મંદિર પ્રાણપ્રતિષ્ઠા
જલારામ બાપાની જગ્યાનો પ્રસાદ મળશે અયોધ્યામાં
દ્વારકા જ્યારે બન્યું ગોકુળિયું
નાતાલના માહોલ વચ્ચે દ્વારકા નગરી કાનુડાની રાસલીલામાં લીન બની. અવસર જન્માષ્ટમી કે નવરાત્રિ પર્વનો નહોતો છતાં ૫૦ હજાર જેટલી આહીરાણીઓએ પરંપરાગત વસ્ત્ર પરિધાન અને સુવર્ણ અલંકારો સાથે મહારાસ રમીને પાંચ હજાર વર્ષનો ઈતિહાસ જીવંત કર્યો.
કડવા છે રે રાતના ઉજાગરા...
કોરોનાકાળ દરમિયાન અને એ પછી માનવજીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં, એમાંનું એક છે રાતની વેરણછેરણ થતી નીંદર. આનાં કારણમાં છે વાઈરસ ક્યારે વિદાય લેશે એની ચિંતાથી લઈને નોકરીધંધાની અસલામતી, મનને બીજે વાળવા ઉજાગરા વેઠીને જોવાતા વેબ-શો, ફિલ્મ, મિત્રો સાથેની પાર્ટી, વગેરે. ઘણાની ગાડી પાટે ચડી ગઈ તો ઘણાએ એ (કુ)ટેવ જાળવી રાખી... નૈન ચકચૂર હોવા છતાં રાતે જાગનારા જાણી લે કે અપૂરતી ઊંઘના ગંભીર કહેવાય એવી બીમારી સાથેના સંબંધ પુરવાર થઈ રહ્યા છે.
જસ્ટ,એક મિનિટ...
પંદરમી સદીમાં મધ્ય યુગથી આધુનિક યુગ તરફની થયેલી સંક્રાંતિ
પલક
લઈ ચોટલા બે ને કાળી રિબિને ફરી વાળ બાંધીને યાદો નીકળશે જવા સ્કૂલ સાથે સવારે હું આજે તને બૂમ પાડું સખી રે! હવે ક્યાં? ફરી વાળ બાંધીને યાદો નીકળશે...
ધીરુભાઈને એકમેવ અંજલિ...
દેશઆખાને શૅરબજારમાં રસ લેતો કરનારા ટોચના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની ૯૧મી જન્મતિથિનાં થોડાં સપ્તાહ અગાઉ પ્રગટ થયેલા પુસ્તકમાં પરિમલ નથવાણી વર્ણવે છે એમના વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ પાસાં.
રિવેન્જ પોર્નઃ આ માનસિક વિકૃતિથી દૂર રહેજો...
કોઈની સામે બદલો લેવા એની અંગત ક્ષણોના પુરાવા જાહેર કરવામાં કોઈ બહાદુરી નથી!
આંગળી ચીંધવાનું પુણ્ય
ફૅશન ડિઝાઈનર તરીકેની ઊજળી કરિયર સાથે એણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની હજારો સ્ત્રીઓને એમની કળા ઘરબહાર લાવવામાં મદદ કરી. આ કહાણી છે એવી મહિલાની, જેમણે હજારો પ્રતિભાવાન મહિલાઓને પગભર કરવાની લીધી છે નેમ.