Prøve GULL - Gratis
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
Chitralekha Gujarati
|December 23, 2024
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.

એક લાખથી વધુની મેદનીથી હકડેઠઠ ભરાયેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ સાંજે અધ્યાત્મ અને અત્યાધુનિક ટેક્નોલૉજીના સુભગ સમન્વય અને ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોથી જાણે ધરતી પર સ્વર્ગ ઊતરી આવ્યું હતું. વાત છે સાત ડિસેમ્બરે અહીં યોજાઈ ગયેલા કાર્યકર સુવર્ણ મહોત્સવની.
બીએપીએસ એની વિવિધ આધ્યાત્મિક-સામાજિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓને એક નવી ઊંચાઈએ લઈ જાય છે એના કર્મઠ કાર્યકરો અને એ દિવસે એ કાર્યકરોને જ પોંખવાનો અવસર હતો. તો આ જ દિવસે ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ પ્રમુખ સ્વામીનો ૧૦૩મો જન્મદિવસનો ઉલ્લાસ પણ હતો.
પ્રમુખ સ્વામીના ગુરુ તથા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના સ્થાપક શાસ્ત્રી મહારાજે સંસ્થા પાસે કટિબદ્ધ કાર્યકરો હોય એ વિચાર વહેતો મૂક્યો હતો. એમના બાદ આવેલા યોગીજી મહારાજે આ વિચારને નક્કર સ્વરૂપ આપ્યું, જ્યારે પ્રમુખ સ્વામીએ એમને (કાર્યકરોને) ઈન્સ્ટિટ્યુલાઈઝ કર્યા. ૧૯૭૨માં પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓને સંગઠિત કર્યા એ પછી ૧૯૭૦ના દાયકામાં આવેલી મોરબી-મચ્છુ ડેમ દુર્ઘટનાથી લઈને લાતુર અને કચ્છ ભૂકંપ, સુનામી જેવી કુદરતી હોનારતોમાં તથા દેશ-દુનિયાનાં મંદિરોમાં, સંસ્થાના મહોત્સવમાં આ કાર્યકરો સેવા આપી રહ્યા છે.

આ મહોત્સવમાં મહંત સ્વામી સહિત BAPSના અગ્રણી સંતોએ હાજરી આપી તથા દેશના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય પ્રધાનોએ હાજરી આપી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ પાઠવ્યો. એટલું જ નહીં, કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ બાળકોયુવાનોએ વિવિધ કળાની પ્રસ્તુતિ કરી. કાર્યક્રમને સુખરૂપ પાર પાડવા ૧૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા.

Denne historien er fra December 23, 2024-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size