Prøve GULL - Gratis
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
Chitralekha Gujarati
|October 13, 2025
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

બેધ્યાનનું ધ્યાન...
એક નવા આવેલા શિષ્યએ ગુરુને ફરિયાદ કરી કે એ ધ્યાનમાં બેસે છે ત્યારે આશ્રમમાં આવતાં બાળકોના અવાજો ખલેલ પાડે છે અને એનું મન એકાગ્ર થઈ શકતું નથી. ગુરુ એને મેદાનમાં લઈ ગયા, જ્યાં બાળકો રમતાં હતાં.
ગુરુએ આંગળી ચીંધીને પૂછ્યું: ‘આ બાળકો દોડાદોડી કરે છે, ઝાડ પર ચઢે છે અને બૂમાબૂમ કરે છે. એમાં કોઈ એવું બાળક દેખાય છે જે વિચલિત હોય, બેધ્યાન હોય, ચિંતાગ્રસ્ત હોય?'
શિષ્યએ ધ્યાનથી જોયું અને કહ્યું: ના, મહારાજ. બધાં રમતમાં એકદમ મશગૂલ છે અને ખુશખુશાલ છે.’
ગુરુએ કહ્યું: ‘બાળકો જો એમની રમતમાં મશગૂલ રહી શકતાં હોય તો તું કેમ ધ્યાન ધરી શકતો નથી? કારણ કે બાળક જો કલ્પના કે વિચારોમાં ભટકી જાય તો એ જાતને એવું નથી કહેતું કે એ ક્ષણમાં નથી. બાળક માટે કોઈ પણ ચીજ ક્ષણની બહાર નથી હોતી, ન તો વિચાર કે ન તો કલ્પના. તું હું ક્ષણમાં જીવતો નથીની ચિંતામાં ક્ષણને જ ભૂલી જાય છે. બાળક હંમેશાં ક્ષણમાં જ જીવતું હોય છે. એ દરેક બાબતમાં એકાગ્ર હોય છે–એ વિક્ષેપમાં પણ એકાગ્ર હોય છે. એટલે જા, તારી કુટિરમાં અને બાળકની જેમ રહે.’
પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને પ્રકૃતિપ્રેમી સાનેનું ૧૯ સપ્ટેમ્બરે ૮૫ વર્ષની વયે અવસાન થયું. પુણેની બુધવાર પેઠમાં એક જૂના મકાનમાં એ રહેતાં હતાં અને અત્યંત સાદું, પ્રકૃતિ કેન્દ્રિત જીવન જીવતાં હતાં. એમણે ૧૯૬૦થી ક્યારેય વીજળીનો ઉપયોગ કર્યો નહોતો. એમના ઘરમાં ફ્રિજ, ટીવી કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો નહોતાં. માત્ર કુદરતી પ્રકાશ અને પર્યાવરણીય સંતુલન પર આધારિત જીવન એ જીવતાં હતાં.
ડૉ. સાનેએ વનસ્પતિશાસ્ત્રમાં એમ. એસસી.ની ડિગ્રી અને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી, તો ઈન્ડોલૉજીમાં એમ ફિલ હતાં. એમણે વનસ્પતિશાસ્ત્રના વિષય પર ૩૦ પુસ્તકો લખ્યાં હતાં. ડૉ. સાનેનું ઘર હરિયાળી અને પક્ષીઓની કિલબિલથી ઘેરાયેલું હતું. એ વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનો પરિવાર માનતાં હતાં. એ કહેતાં હતાંઃ ‘આ પક્ષીઓ મારા મિત્રો છે અને જ્યારે પણ હું ઘરકામ કરતી હોઉં છું ત્યારે એ અહીં આવે છે.
Denne historien er fra October 13, 2025-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size