ડિયર નૅચર,
ગુજરાતમાં ૧૯૮૬-૮૭ના દુકાળનું એક દશ્ય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં ત્યારે પાણીની અભૂતપૂર્વ તંગી હતી. પહેલી વાર ગાંધીનગરથી પાણીનાં ટૅન્કર ભરેલી ટ્રેન રાજકોટ આવી હતી. એ સમયમાં મધ્ય ગુજરાતથી એક મિત્ર રાજકોટ આવ્યા. વહેલી સવારે એસટી બસસ્ટેશનની બહાર નીકળ્યા અને એક ઠેલા પર ચા પીવા ઊભા રહ્યા. ત્યાં પાણીની એક નાંદ ભરેલી હતી. એમણે પ્લાસ્ટિકના લોટાથી પાણી ભર્યું અને ઊંઘ ઉડાડવા થોડું પાણી ચહેરા પર છાંટ્યું ત્યાં તો ચાવાળો ભાઈ બોલ્યોઃ ભાઈ, આ પાણી મોઢું ધોવા માટે નથી, પણ પીવા માટે છે.
અમારા મિત્ર આ અનુભવ સાથે ઘેર આવ્યા. ચા-પાણીનો સમય હતો એટલે કહ્યું કે ચા-પાણી પી લો પછી નાહીને ફ્રેશ થઈ જાવ... નાહવાની વાત આવી તો એ મિત્ર કહેઃ ‘ના ના, મારે નહાવું નથી. ચાલશે. બહુ બહુ ધોઈ લઈશ.' એમના દિમાગમાં ચાવાળાની ઘટના ઘૂમતી હતી. અમે પછી સમજાવ્યા કે નાહી લો, પાણીની એટલી તો તંગી નથી. પછી એ મિત્ર નાહ્યા.
અત્યારે વાત જો કે આપણી સિલિકોન વૅલી તરીકે ઓળખાતા બેંગલુરુની કરવી છે. એક વેળાનું ગાર્ડન સિટી ગણાતા આ મહાનગરમાં મોટા ભાગનાં તળાવ સુકાઈ ગયાં છે. ભૂગર્ભમાં પાણીનું ટીપુંય નથી. સ્થિતિ એવી છે કે બેંગલુરુ મહાપાલિકા દ્વારા એક ઍડ્વાઈઝરી બહાર પાડવામાં આવી છે, જેમાં કહેવાયું છેઃ ‘રોજ ના નહાશો, એકાંતરે નહાવાનું રાખશો અને ખાન-પાન માટે ડિસ્પોઝેબલ પ્લેટ-વાટકા-કપ વાપરશો. કપડાં પણ રોજ ના ધોતાં. વાસણોનો વપરાશ ઓછો કરજો.’
બેંગલુરુની આવી હાલત શા માટે થઈ? કારણ કે અહીં શહેરીકરણ બહુ ઝડપથી થયું છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોને શહેરમાં ભેળવી દેવાયા છે. બેંગલુરુ શહેર અને આ ગામડાંનાં મળી ૮૦ જળાશયો પર ઈમારતો બંધાઈ ગઈ છે. લીલોતરીથી ઢંકાયેલું રહેતું શહેર સિમેન્ટ-કૉન્ક્રીટનું જંગલ બની ગયું છે. તળાવ ભરાઈ ગયાં એમ સેંકડો-હજારો ઝાડ કપાઈ ગયાં. ગ્રીન કવરમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. વરસાદી પાણી જમીનમાં ઊતરતું નથી. ૫૦ ટકા બોરવેલ સુકાઈ ગયા છે. બેંગલુરુની ૭૦ ટકા જનસંખ્યા પાણી માટે કાવેરી નદી પર નિર્ભર છે. ત્યાંથી પણ પાણી મળતું નથી એટલે લોકોએ ભેગા મળી ૧૮૦૦-૨૦૦૦ રૂપિયામાં પાણીનું ટૅન્કર લેવું પડે છે. પોતાની કમાણીનો ખાસ્સો હિસ્સો લોકોએ પાણી માટે ખરચવો પડે છે.
Esta historia es de la edición April 22 , 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 22 , 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સહઅસ્તિત્વની સહનશીલતા
મનુષ્ય આ પૃથ્વી પર સૌથી સામુદાયિક-સહકારી પ્રાણી છે.એક પ્રજાતિ તરીકે માણસની સફળતાનું કારણ એકબીજા સાથે સહકારથી રહેવાની ક્ષમતામાં છે. એવું સહઅસ્તિત્વ અને સહકાર કાયમ સુંદર-સરળ જ હોય એ જરૂરી નથી. પ્રેમાળ સંબંધમાં પણ ઉઝરડા પડે છે અને એમાંથી જ સહનશીલતાનો ગુણ વિકસે છે.
જસ્ટ, એક મિનિટ...
નમ્રતા અને ઉદારતાની અભિવ્યક્તિ ખુશીના રંગીન મેઘધનુષનું નિર્માણ કરે છે.
દેખ જોગી, ઉનાળો
પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.