Prøve GULL - Gratis
કોણ છે આ પસમાંદા મુસ્લિમ?
Chitralekha Gujarati
|July 24, 2023
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સમાન નાગરી ધારો અમલમાં મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે મુસ્લિમ સમાજના તદ્દન પછાત અને તરછોડાયેલા વર્ગને ભાજપ પોતાની તરફેણમાં લેવા કમર કસી રહ્યો છે. પસમાંદા મુસલમાનોનું મહત્ત્વ અચાનક વધી જવાનાં કારણ જાણી લો..

લોકસભાની ચૂંટણીનાં પડઘમ અત્યારથી જ વાગવા માંડ્યાં છે. જો કે ૨૦૨૪માં નવી લોકસભા ચૂંટાય એ પહેલાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગણ સહિતનાં રાજ્યોમાં વિધાનસભા માટે મતદાન યોજાશે તો યુનિફૉર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરી ધારો પણ ગાજી રહ્યો છે. કેન્દ્ર સરકારને ચૂંટણીમાં મત અને સમાન નાગરી ધારા માટે બધી કોમનો ટેકો જોઈએ છે. મુસ્લિમોના સમર્થન વગર સમાન નાગરી ધારો લાવવાનું લગભગ અશક્ય છે એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ કોમમાં પછાત અને દલિત ગણાતા પસમાંદા મુસ્લિમોને રીઝવવાનું શરૂ કર્યું છે. મુસ્લિમ સમાજનો આ વર્ગ માની જાય તો ભાજપ એક કાંકરે બે પક્ષી મારી શકેઃ ચૂંટણી જીતી શકાય અને સમાન નાગરી ધારો લાવવાનું સરળ બને.
સામાન્ય માન્યતા એવી છે કે મુસ્લિમોમાં વર્ગભેદ કે વર્ણભેદ નથી. મોટા ભાગના લોકો માટે મુસ્લિમો એટલે સુન્ની અથવા શિયા એમ બે જ ફાંટા (આ જુદી જુદી ઓળખ પણ મોહમ્મદ પયગંબરના વારસ કોણ બને એ મુદ્દે થયેલા વિખવાદને કારણે હતી). અલબત્ત, આર્થિક અસમાનતા, વારસાગત કામકાજ અને સામાજિક મોભાને કારણે મુસ્લિમોમાં પણ અનેક ફીરકા છે, જેને ત્રણ મુખ્ય પ્રકારમાં વહેંચી શકાયઃ અશરફ, અજલફ અને અરઝલ.
આ ત્રણમાં અશરફ એટલે મુસ્લિમોનો એકદમ ઉચ્ચભ્રૂ વર્ગ. આ મુસ્લિમો મોટે ભાગે શ્રીમંત અને શિક્ષિત છે. સામાજિક-રાજકીય રીતે પણ પ્રગતિશીલ છે. એમાં સૈયદ, શેખ, પઠાણ, મુગલ, મિર્ઝા, રિઝવી, ખાન, વગેરે વર્ગ આવે. મોટા ભાગના રાજનેતા અને ઉચ્ચ હોદ્દા પર બિરાજતા મુસ્લિમો અશરફ વર્ગના છે.
નિશાન આવતી ચૂંટણીઃ ઉત્તર પ્રદેશમાં ભાજપે પસમાંદા મુસ્લિમોનાં ‘સ્નેહ સંમેલન’ યોજવા માંડ્યાં છે.
મુસ્લિમ સમાજવ્યવસ્થામાં એ પછી આવે અજલફ અને અરઝલ. આ બન્ને વર્ગ બધી રીતે તરછોડાયેલા છે. એક પછાત અને બીજો દલિત મુસ્લિમોનો વર્ગ છે. પાછળથી ઈસ્લામ ધર્મમાં વટલાયેલા લોકો આ વર્ગમાં આવે, જેમને પસમાંદા મુસ્લિમ તરીકે ઓળખવામાં આવે છે.
Denne historien er fra July 24, 2023-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size