Try GOLD - Free
નિરાહાર રહીને નીરોગી બનવાની કળા
Chitralekha Gujarati
|September 04, 2023
આયુર્વેદ અને ભારતીય આહાર પદ્ધતિમાં તો ઉપવાસનું મહત્ત્વ પહેલેથી છે. હવે આધુનિક વિજ્ઞાન પણ ઉપવાસીનાં શરીર-મનની વૈજ્ઞાનિક ચકાસણીનાં પરિણામોથી આશ્ચર્યચકિત થયું છે. ચાતુર્માસ, શ્રાવણ, સાતમ-આઠમ, પર્યુષણ અને છેક નવરાત્રિ સુધી હવે ઉપવાસની મોસમ પૂરબહારમાં ખીલશે ત્યારે શરીરને ભૂખ્યું રાખીને શારીરિક-માનસિક ને આધ્યાત્મિક બળ કેવી રીતે મેળવી શકાય એ જાણવા જેવું છે.

ઉપવાસ એટલે સમીપે રહેવું. ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનો મહિમા વર્ણવ્યો છે. ગુજરાતી વિશ્વકોશ મુજબ, દેવતા પ્રત્યેની ભક્તિ, કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, મન-વચન-કર્મની શુદ્ધિ કરવા, અમુક અશુદ્ધિ દૂર કરવા, ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણનાં પ્રાયશ્ચિત્ત માટે ઉપવાસ થાય છે.
ઉપવાસની મહત્તા અને એનાં વિવિધ પાસાં વિશે દસ્તાવેજી ફિલ્મો બની છે અને એના પર સંશોધન કરનારા બે વિદ્વાનને નોબેલ પારિતોષિક પણ મળ્યાં છે.
આપણે ત્યાં જૈન સાધુ-સાધ્વીઓ અને શ્રાવકો એક કે એથી અધિક ઉપવાસ કરે છે. એમાં ઉપવાસીએ સૂર્યોદયથી સૂર્યાસ્તના ગાળામાં માત્ર ઉકાળેલું પાણી પીવાનું હોય. અમુક વળી, પાણી પીધા વિના નિર્જળ પણ ઉપવાસ કરે.
ઉપવાસથી શું ફાયદા થાય?
ડૉ. સુધીર શાહઃ કૅલરી સિવાય પણ ઊર્જાના અન્ય સ્રોતથી માનવશરીર ટકી શકે એવું જોવા મળ્યું છે.
તબીબો અને સંશોધકોના મતે શરીરશુદ્ધિ થાય. અમુક રોગ મટી શકે. મનમાં સકારાત્મક વિચારો જન્મે. અમુક ઈન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય. યાદશક્તિ પણ વધે. જૈન ગ્રંથ કલ્પસૂત્ર મુજબ, ઉપવાસ દરમિયાન અન્નત્યાગથી અનેક જીવોને અભયદાન મળે.
સંતોના મતે સંયમની સાધના, સિદ્ધિ કે મોક્ષપ્રાપ્તિ માટે તપ અનિવાર્ય છે. અલબત્ત, ઉપવાસ દ્વારા શરીરને માત્ર કષ્ટ કે પીડા આપવાનો ઉદ્દેશ ન હોવો જોઈએ. ઉપવાસ સમયે સ્વાધ્યાયમાં ધ્યાન પરોવવું જરૂરી છે. ઉપવાસ એ સ્પર્ધા, પ્રસિદ્ધિ, અપેક્ષા કે પ્રલોભનવિહીન તપ હોવું જોઈએ.
થોડાં વર્ષ પહેલાં કાલિકટવાસી ઈજનેર હીરા રતન માણેકે માત્ર સૂર્યશક્તિના બળે ૪૧૧ દિવસના ઉપવાસ કર્યા, જ્યારે વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર રહેતા ચૂંદડીવાળાં માતાજી તરીકે ઓળખાતા પ્રહ્લાદ જાની તો વર્ષોથી અન્ન-જળ લીધા વિના રહેતા.
વિરાય મુનિ: પોણા છ મહિના ઉપવાસ કર્યા છતાં નિયમિત દિનચર્યા આસાનીથી થઈ શકી.
This story is from the September 04, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size