નિરાહાર રહીને નીરોગી બનવાની કળા
Chitralekha Gujarati|September 04, 2023
આયુર્વેદ અને ભારતીય આહાર પદ્ધતિમાં તો ઉપવાસનું મહત્ત્વ પહેલેથી છે. હવે આધુનિક વિજ્ઞાન પણ ઉપવાસીનાં શરીર-મનની વૈજ્ઞાનિક ચકાસણીનાં પરિણામોથી આશ્ચર્યચકિત થયું છે. ચાતુર્માસ, શ્રાવણ, સાતમ-આઠમ, પર્યુષણ અને છેક નવરાત્રિ સુધી હવે ઉપવાસની મોસમ પૂરબહારમાં ખીલશે ત્યારે શરીરને ભૂખ્યું રાખીને શારીરિક-માનસિક ને આધ્યાત્મિક બળ કેવી રીતે મેળવી શકાય એ જાણવા જેવું છે.
મહેશ શાહ (અમદાવાદ) । સમીર પાલેજા (મુંબઈ)
નિરાહાર રહીને નીરોગી બનવાની કળા

ઉપવાસ એટલે સમીપે રહેવું. ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનો મહિમા વર્ણવ્યો છે. ગુજરાતી વિશ્વકોશ મુજબ, દેવતા પ્રત્યેની ભક્તિ, કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, મન-વચન-કર્મની શુદ્ધિ કરવા, અમુક અશુદ્ધિ દૂર કરવા, ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણનાં પ્રાયશ્ચિત્ત માટે ઉપવાસ થાય છે.

ઉપવાસની મહત્તા અને એનાં વિવિધ પાસાં વિશે દસ્તાવેજી ફિલ્મો બની છે અને એના પર સંશોધન કરનારા બે વિદ્વાનને નોબેલ પારિતોષિક પણ મળ્યાં છે.

આપણે ત્યાં જૈન સાધુ-સાધ્વીઓ અને શ્રાવકો એક કે એથી અધિક ઉપવાસ કરે છે. એમાં ઉપવાસીએ સૂર્યોદયથી સૂર્યાસ્તના ગાળામાં માત્ર ઉકાળેલું પાણી પીવાનું હોય. અમુક વળી, પાણી પીધા વિના નિર્જળ પણ ઉપવાસ કરે.

ઉપવાસથી શું ફાયદા થાય?

ડૉ. સુધીર શાહઃ કૅલરી સિવાય પણ ઊર્જાના અન્ય સ્રોતથી માનવશરીર ટકી શકે એવું જોવા મળ્યું છે.

તબીબો અને સંશોધકોના મતે શરીરશુદ્ધિ થાય. અમુક રોગ મટી શકે. મનમાં સકારાત્મક વિચારો જન્મે. અમુક ઈન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય. યાદશક્તિ પણ વધે. જૈન ગ્રંથ કલ્પસૂત્ર મુજબ, ઉપવાસ દરમિયાન અન્નત્યાગથી અનેક જીવોને અભયદાન મળે.

સંતોના મતે સંયમની સાધના, સિદ્ધિ કે મોક્ષપ્રાપ્તિ માટે તપ અનિવાર્ય છે. અલબત્ત, ઉપવાસ દ્વારા શરીરને માત્ર કષ્ટ કે પીડા આપવાનો ઉદ્દેશ ન હોવો જોઈએ. ઉપવાસ સમયે સ્વાધ્યાયમાં ધ્યાન પરોવવું જરૂરી છે. ઉપવાસ એ સ્પર્ધા, પ્રસિદ્ધિ, અપેક્ષા કે પ્રલોભનવિહીન તપ હોવું જોઈએ.

થોડાં વર્ષ પહેલાં કાલિકટવાસી ઈજનેર હીરા રતન માણેકે માત્ર સૂર્યશક્તિના બળે ૪૧૧ દિવસના ઉપવાસ કર્યા, જ્યારે વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર રહેતા ચૂંદડીવાળાં માતાજી તરીકે ઓળખાતા પ્રહ્લાદ જાની તો વર્ષોથી અન્ન-જળ લીધા વિના રહેતા.

વિરાય મુનિ: પોણા છ મહિના ઉપવાસ કર્યા છતાં નિયમિત દિનચર્યા આસાનીથી થઈ શકી.

هذه القصة مأخوذة من طبعة September 04, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 04, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 mins  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 mins  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 mins  |
May 13, 2024