ઉપવાસ એટલે સમીપે રહેવું. ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનો મહિમા વર્ણવ્યો છે. ગુજરાતી વિશ્વકોશ મુજબ, દેવતા પ્રત્યેની ભક્તિ, કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, મન-વચન-કર્મની શુદ્ધિ કરવા, અમુક અશુદ્ધિ દૂર કરવા, ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણનાં પ્રાયશ્ચિત્ત માટે ઉપવાસ થાય છે.
ઉપવાસની મહત્તા અને એનાં વિવિધ પાસાં વિશે દસ્તાવેજી ફિલ્મો બની છે અને એના પર સંશોધન કરનારા બે વિદ્વાનને નોબેલ પારિતોષિક પણ મળ્યાં છે.
આપણે ત્યાં જૈન સાધુ-સાધ્વીઓ અને શ્રાવકો એક કે એથી અધિક ઉપવાસ કરે છે. એમાં ઉપવાસીએ સૂર્યોદયથી સૂર્યાસ્તના ગાળામાં માત્ર ઉકાળેલું પાણી પીવાનું હોય. અમુક વળી, પાણી પીધા વિના નિર્જળ પણ ઉપવાસ કરે.
ઉપવાસથી શું ફાયદા થાય?
ડૉ. સુધીર શાહઃ કૅલરી સિવાય પણ ઊર્જાના અન્ય સ્રોતથી માનવશરીર ટકી શકે એવું જોવા મળ્યું છે.
તબીબો અને સંશોધકોના મતે શરીરશુદ્ધિ થાય. અમુક રોગ મટી શકે. મનમાં સકારાત્મક વિચારો જન્મે. અમુક ઈન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય. યાદશક્તિ પણ વધે. જૈન ગ્રંથ કલ્પસૂત્ર મુજબ, ઉપવાસ દરમિયાન અન્નત્યાગથી અનેક જીવોને અભયદાન મળે.
સંતોના મતે સંયમની સાધના, સિદ્ધિ કે મોક્ષપ્રાપ્તિ માટે તપ અનિવાર્ય છે. અલબત્ત, ઉપવાસ દ્વારા શરીરને માત્ર કષ્ટ કે પીડા આપવાનો ઉદ્દેશ ન હોવો જોઈએ. ઉપવાસ સમયે સ્વાધ્યાયમાં ધ્યાન પરોવવું જરૂરી છે. ઉપવાસ એ સ્પર્ધા, પ્રસિદ્ધિ, અપેક્ષા કે પ્રલોભનવિહીન તપ હોવું જોઈએ.
થોડાં વર્ષ પહેલાં કાલિકટવાસી ઈજનેર હીરા રતન માણેકે માત્ર સૂર્યશક્તિના બળે ૪૧૧ દિવસના ઉપવાસ કર્યા, જ્યારે વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર રહેતા ચૂંદડીવાળાં માતાજી તરીકે ઓળખાતા પ્રહ્લાદ જાની તો વર્ષોથી અન્ન-જળ લીધા વિના રહેતા.
વિરાય મુનિ: પોણા છ મહિના ઉપવાસ કર્યા છતાં નિયમિત દિનચર્યા આસાનીથી થઈ શકી.
Esta historia es de la edición September 04, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 04, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.