સંસ્કૃત શબ્દ મૌક્તિક પરથી ગુજરાતી શબ્દ મોતી આવ્યો છે. સાચા મોતી એટલે સાગરમાં પાકતાં મોતી ખૂબ જ મોંઘાં હોય છે, પરંતુ ભરતકામમાં વિશિષ્ટ રીતે વપરાયેલાં કાચનાં, પથ્થરનાં કે કચકડાનાં મોતી સાચાં મોતીથી પણ વિશેષ લાગે છે. ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની નારીઓએ મોતીનો વિવિધ રીતે ઉપયોગ કર્યો છે. હજારો વર્ષ પહેલાંથી આ વિસ્તારમાં મોતીકામ અને મોતીભરત થતું હોવાનું મનાય છે. એક જમાનામાં દીકરીને જે દાયજો(આણું) આપવાનો થતો તેમાં તેણે પોતે ભરેલી મોતીની વિવિધ વસ્તુઓનો સમાવેશ ફરજિયાત થતો. આજે પણ અમુક જ્ઞાતિમાં આ પ્રથા બહુ ઓછા પ્રમાણમાં ચાલુ છે. જોકે આ કલાની ઉપયોગિતા હવે તદ્દન ઘટી હોવાથી કલા ધીમે-ધીમે વિસ્તૃત થઈ રહી છે. નવી પેઢીની યુવતીઓને આ કામમાં રસ રહ્યો નથી. જો તેમાંથી લોકોને અર્થોપાર્જન થઈ શકે તો તે જીવંત રહી શકવાની આશા છે.
આ કલા નામશેષ થાય, અદૃશ્ય થઈને સાવ જ અપ્રાપ્ય બને તે પહેલાં તેની જાહોજલાલી સાચવી રાખવા, લોકોને તેની બહુઆયામી કલાસૃષ્ટિ નો પરિચય કરાવવા માટે સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રો. નિસર્ગ આહીર લિખિત પુસ્તક ‘મોતીભરતઃ સૌરાષ્ટ્રકચ્છનો વિસ્તૃત વારસો'નું પ્રકાશન કરાયું છે. આ પુસ્તકમાં લેખકે મોતીભરત અંગેનાં તમામ પાસાંઓને આવરી લીધા છે. કલા અને લોકકલા એટલે શું, તેની વિવિધતા, ભરતગૂંથણની વિસ્તૃત સમજ, મોતીકામની પરંપરાને તો પુસ્તકમાં આવરી જ લેવાયા છે, સાથે-સાથે તેમાં લોકસાહિત્યમાં મોતીને જે સ્થાન મળ્યું છે, તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી છે.
મોતીભરતની કલા વિશે વાત કરતાં પ્રો.આહીર કહે છે, ‘મોતીભરત માત્ર કસબ નથી, એ છે લોકચેતનાનું સંઘટિત થયેલું રૂપ, મોતી મૂર્તિમંત ભાવ છે. મોતીભરતમાં શુભત્વ, માંગલ્ય, શણગાર અને સજાવટ નિમિત્તે જીવનદાયિની ઊર્જાને વણી લેવામાં આવી છે. વૈશ્વિકીકરણ, ટૅક્નોલોજીનો વ્યાપ, ભૌતિકતાનો પ્રભાવ અને બજારવાદના કારણે પરંપરા હ્રાસ પામી રહી છે. છતાં અમુક શોખીનો કે કલાપ્રેમીઓએ તેને સાચવી રાખ્યું છે. કાઠી દરબાર, રાજપૂત, કારડિયા રાજપૂત, આહીર, મેઘવાળ મારવાડા જેવી જાતિઓએ પોતાની જૂની કલાને સાચવી છે.’
This story is from the December 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન