ઉનાળાની ઋતુએ વેગ પકડ્યો છે અને તેની સાથે જ પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કારણ છે વેકેશન મોડ. જોકે, પ્રવાસન સ્થળો પર તો બારે મહિના પ્રવાસીઓનો ધસારો રહેતો જ હોય છે, પણ વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. પ્રવાસન સ્થળો લોકપ્રિય બને તેની પાછળ ઘણાં બધાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. સૌંદર્ય, સ્વચ્છતા, સ્થાનિકોનો મિલનસાર સ્વભાવ, ફૂડ અને ત્યાંની જાણીતી વસ્તુઓ. ઘણા લોકો પ્રવાસમાં યાદગીરીરૂપે જાણીતી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરતાં હોય છે.
પ્રવાસીઓની આ સુટેવ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતના પ્રવાસન સ્થળની કઈ વસ્તુઓ પ્રખ્યાત છે અને કઈ વસ્તુની ક્યાંથી શોપિંગ કરી શકાય તે જાણવું રહ્યું.
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?