શ્રીરામને ચૌદ વરસનો વનવાસ મળે છે, ત્યારે રામના પગલે લક્ષ્મણ વનમાં જવા તૈયાર થાય છે. ત્યારે પહેલાં તો રામ લક્ષ્મણને ઘણું સમજાવે છે અને આખરે લક્ષ્મણના સંકલ્પ સામે નમી જાય છે. રામ લક્ષ્મણને માતા સુમિત્રા અને પત્ની ઊર્મિલાને પૂછી આવવા સૂચવે છે. લક્ષ્મણ જ્યારે માતા સુમિત્રાને પોતાનો સંકલ્પ જણાવીને આજ્ઞા માગે છે ત્યારે માતા સુમિત્રા અદ્ભુત વાત કહે છે, ‘હા....જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી સાથે હશે, રામ સતત તારી પાસે હશે.’
લક્ષ્મણ રામની સાથે વનમાં જાય એમાં માતા સુમિત્રા ચૌદ વર્ષ સુધી લક્ષ્મણને રામનો સત્સંગ મળશે એ સૂક્ષ્મતા જુએ છે અને ખરેખર થયું પણ એવું. આ વર્ષોમાં લક્ષ્મણને સતત રામનો ક્વૉલિટી ટાઇમ મળ્યો.
ક્વૉલિટી ટાઇમ! આમ તો આ અંગ્રેજી શબ્દનો અર્થ મોટા ભાગના સૌને ખ્યાલ જ હોય છે, પણ આ ક્વૉલિટી ટાઇમ એટલે કોઈને આપવામાં આવતો સમર્પિત સમય. ઊર્જા, મન, વચન, કર્મથી કોઈની પાસે આપણું સંપૂર્ણ હાજર હોવું કે કોઈનું આમ આપણી સાથે હોવું એટલે ક્વૉલિટી ટાઇમ.
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન