છેલ્લાંઘણાં વર્ષોથી ભારતના પ્રવાસન ક્ષેત્રમાં સંગીત, પ્રવાસન કે મ્યુઝિક ટૂરિઝમની એક જુદી શાખાનો મંગળ પ્રવેશ થયો છે. દર વર્ષે ગ્વાલિયર માં યોજાતો તાનસેન સંગીત સમારોહ કે પુનામાં યોજાતો સવાઈ ગાંધર્વ ભીમસેન સંગીતોત્સવ તો અનેક દાયકાઓથી ભારતના શાસ્ત્રીય સંગીત પ્રેમીઓને દેશના વિવિધ પ્રદેશોમાંથી ખેંચી લાવે છે, પરંતુ હવે તો ભારતીય યુવાનોના ડિસેમ્બરને, વેસ્ટર્ન ગીત-સંગીતથી, હૂંફાળો બનાવતાં સંગીતોત્સવ પણ વધી રહ્યા છે, કારણ કે ફેસ્ટિવલ ટૂરિઝમની અંદર આવતું આ મ્યુઝિકટૂરિઝમ દેશી-વિદેશી સંગીત અને સંસ્કૃતિનો તાજો નવો અનુભવ લેવા ઇચ્છતાં જુવાન પ્રવાસીઓને ખૂબ પ્રિય છે.
કર્ણાટકી અને હિન્દુસ્તાની સંગીત જેવી શાસ્ત્રીય સંગીતની બે મુખ્ય પરંપરા ધરાવતાં આપણા ભારતમાં દર શિયાળે ઊજવાતા શાસ્ત્રીય સંગીત સમારોહ ઉપરાંત હવે કેટલાક પશ્ચિમી સંગીતના સંગીત સમારોહ અને મલ્ટિ લિજ્જ્વલ ફ્યુઝન પણ થાય છે, જે આપણા દેશની જુવાન ટીમને ભારતના પ્રાદેશિક સંગીત ઉપરાંત પશ્ચિમી સંગીતના જોશ અને જુસ્સાનો પરિચય કરાવી અન્ય અનેક દેશોના સંગીતનાં વાઘોનો દિલ ધડક અનુભવ પણ કરાવે છે અને પ્રવાસન ક્ષેત્રમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સંગીત શું ભાગ ભજવે છે એ સાબિત પણ કરે છે.
ભારતમાં સતત વિકસતાં જતાં આ મ્યુઝિક ટૂરિઝમમાં આધુનિક સંગીત સમારોહને લીધે વિશ્વ પ્રવાસીઓ જે-તે શહેર કે અંતરિયાળ ગામમાં જાય છે, ત્યાં રહે છે, ત્યાંનું પ્રાદેશિક ભોજન જમે છે અને આથી કોઈ દૂરવર્તી ગામના લોકોને કામ મળે છે અને એ જે-તે ગામના લોકો વિશ્વ પ્રવાસીઓ સાથે સંપર્કમાં આવી પોતાની નાની એવી દુનિયાને નવા અર્થો પણ આપે છે.
લય-તાલ અને વાઘોના વાઇબ્સથી નવા અર્થો આપતું આ મ્યુઝિક ટૂરિઝમ ભારતમાં ખાસ્સી સ્પીડથી ફૂલીફાલી રહ્યું છે. કલા, સંસ્કૃ તિ અને વિવિધ વ્યંજનોનો સ્વાદ ધરાવતાં ભારતમાં સંગીતનો જાદુ લોકોને એક સ્થળે એકઠા કરી શકે એટલો રસપ્રદ છે અને એવા રસમાં હમઉમ્ર અને એકસરખા રસરુચિ ધરાવતા મિત્રો સાથે સંગીત સાંભળવાનો અને તેના તાલે ઝૂમવાનો આનંદ લેવા જેવો છે. એ પછી મુંબઈ જેવા મહાનગરમાં યોજાતો લોલાપાલુજા ઇન્ડિયા હોય કે અરુણાચલની ઝીરાવેલીમાં યોજાતો ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ હોય, હાઈ એનર્જી ઇલેક્ટ્રોનિક મ્યુઝિક રસિયાઓ માટે તો એ જલસો છે.
This story is from the December 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન