કાલાપાની આ શબ્દ સાથે આપણી કાળી સ્મૃતિઓ જોડાયેલી છે. આજે વર્ષો બાદ પણ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવેલી ‘સેલ્યુલર જેલ'ની મુલાકાત લેતાં પ્રવાસીઓનું મન વિક્ષુબ્ધ બની જાય છે. કહેવાય છે કે બ્રિટિશ શાસન હેઠળ અહીંના કેદીઓને આપવામાં આવતી ‘કાળાપાણીની સજા’ મૃત્યુદંડ પછીની સૌથી ભયંકર સજા હતી.
આપણને સહજ પ્રશ્ન થાય કે તેને ‘કાલાપાની’ શા માટે કહેવાતું હશે? સ્થાનિકોના કહેવા અનુસાર અસલમાં તે શબ્દ ‘કાલપાની’ છે, એટલે કે એકવાર જે અહીં આવે તેનું પાછા ફરવું અશક્ય છે. તેનું મુખ્ય કારણ અહીંનું અત્યંત વિષમ વાતાવરણ, અલ્પ સંસાધનો અને ચારે તરફથી ઘેરી વળતો દરિયાનો પટ જેને પાર કરવો જે-તે સમયે અશક્ય હતું. આપણને એવો પ્રશ્ન થાય કે ન થાય, પણ ડિરેક્ટર બિશ્વપતિ સરકારને પોતાના આંદામાન અને નિકોબારના પ્રવાસ દરમિયાન એવો સવાલ થયો કે આજના સમયમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય અને ટાપુ પર આવેલા પ્રવાસીઓ પાછા જઈ ન શકે
તો? બસ આ કાલ્પનિક પરિસ્થિતિના આધારે આ વેબ સિરીઝ ‘કાલાપાની’ની ભૂમિકા રચાઈ અને તેનાથી પ્રેરાઈને બિશ્વપતિ સરકાર, સંદીપ સાકેત, અમિત ગોલાની અને નિમિષા મિશ્રાએ સાથે મળીને અત્યંત રોમાંચક પટકથા લખી.
હાલમાં જ Netflix પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘કાલાપાની’એ રસિકોનું ધ્યાન ખેંચ્યું છે. આંદામાન-નિકોબાર ટાપુઓના પરિવેશમાં બનેલી આ સિરીઝ એક સર્વાઇવલ ડ્રામા છે. સાત ભાગમાં વહેંચાયેલી આ સિરીઝની સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે તેનું સબળ પાસું છે. વર્તમાન સમય તરીકે વર્ષ ૨૦૨૭ને પસંદ કરવામાં આવ્યું છે. આજથી ચાર જ વર્ષ બાદના આ સમય સાથે દર્શકો સારી રીતે કનેક્ટ થઈ શકે છે.
પોર્ટ બ્લે૨ ૫૨ નવ વર્ષની ઉજવણી માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ કોવિડ-૧૯ની મહામારી પછી આંદામાન-નિકોબાર ટાપુઓમાં રોજગારીની તકો ઊભી કરવા માટે અને તેની નબળી પડી ચૂકેલી આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે ખૂબ અગત્યનો છે.
This story is from the December 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન