“આપણે શું?”ની માનસિકતા
ABHIYAAN|September 02, 2023
૧૩મી માર્ચ, ૧૯૬૪ના દિવસે ન્યૂ શહેરના એક રહેણાક વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી. કેથેરીન સૂસેન જીનોવેઝ ઉર્ફે કિટ્ટી જીનોવેઝ નામની એક ૨૮ વર્ષની યુવતી કામ પરથી પોતાના ઘરે પરત આવી રહી હતી. તેના ઘરથી એ માત્ર ૩૦ મીટર દૂર પાર્કિંગ સ્પેસમાં હતી ત્યારે તેના પર હુમલો થયો. હુમલાખોરે બળાત્કાર બાદ તેને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટના કિટ્ટીના ઘરની સામે ઘટી રહી હતી, ત્યારે ઍપાર્ટમૅન્ટમાં રહેતાં અન્ય ૩૮ પાડોશીઓ તે જોતાં રહ્યાં. કિટ્ટીએ બચવાનો પ્રયાસ પણ કર્યો છતાં કોઈ મદદે આવ્યું નહીં. એ ચીસો પાડતી રહી અને રડતી રહી અને અંતે મૃત્યુ પામી.
પ્રિયંકા જોષી
“આપણે શું?”ની માનસિકતા

‘હાઈવે પર થયેલો ગમખ્વાર અકસ્માત’, ‘ધોળા દહાડે થયેલી કરપીણ હત્યા’, ‘ભરી બજાર વચ્ચે ચાકુ હુલાવી દીધું’, ‘પરણિતા સ્ત્રીએ કરેલું અગ્નિસ્નાન’ પ્રકારના અનેક સમાચારો રોજેરોજ આપણે સવારની ચા સાથે ગળે ઉતારી દેતા - આ હોઈએ છીએ. આ તો રોજનું થયું - કહીને છાપું વાળીને પસ્તીમાં મૂકી દેતાં હોઈએ છીએ. પાડોશમાંથી સાંભળતા કકળાટથી કંટાળીને બારણું આડું કરી દેતાં હોઈએ છીએ. દુનિયાદારીના પાટા પર આપણી ગાડી નિર્વિઘ્ને ચાલે એ માટે આપણે આમ આંખઆડા કાન કરતાં ક્યારે શીખી ગયા એની તો સૂધ પણ રહી નથી. એ હકીકતને નકારી શકાય એમ નથી કે આપણે એક એવો સંવેદનહીન સમાજ રચી બેઠા છીએ કે જ્યાં કોઈની મદદ કરવી એ શાણપણ નથી ગણાતું. ઊલટું એ સંજોગોમાંથી છટકવાની હોશિયારી હોવી ફરજિયાત ગણાય છે.

તાજેતરની જ ઘટના જોઈએ તો ગુજરાતના સુરતમાં જ પૂર્વપ્રેમીએ પ્રેમીને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો. રાજધાની દિલ્હીમાં રહેતી સગીરાને તેના પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર દુનિયાએ જોયો. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ૭-૮ લોકો હાજર હતા, પરંતુ એ તમામ લોકો બસ જોતાં રહ્યાં. આપણને પણ સહજ પ્રશ્નો થાય કે આટલી ભયાનક ઘટના આંખ સામે બનતી જોઈને પણ લોકો ચૂપ કેવી રીતે રહ્યા? લોકોએ તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો?

આપણે પણ જાણીએ છીએ કે આ પહેલીવાર નથી જ્યારે ભીડમાં ઊભેલા લોકો આ રીતે નિષ્ક્રિય બની રહ્યા હોય. ભૂતકાળમાં પણ આવા અગણિત બનાવો બન્યા છે અને બનતા રહ્યા છે. આપણી આજુબાજુ નજર કરીએ તો દરરોજ આવા અકસ્માતોનાં અનેક ઉદાહરણો જોવા મળશે, જ્યારે કોઈ પીડિત કે જરૂરિયાતમંદને મદદ કરવાને બદલે ભીડ નિરાંતે તમાશો જોતી રહી હોય. રસ્તામાં બે જણ ઝઘડતા હોય તો ત્યાંથી પસાર થતાં બાકીના લોકો ‘આપણે શું?’ વિચારીને આગળ વધી જાય છે. જ્યારે ભીડભાડવાળી બસો કે ટ્રેનોમાં કોઈની છેડતી થાય ત્યારે પણ આવી જ ઉદાસીનતા જોવા મળે છે. આ એમનો આપસનો મામલો છે -એવું માનીને ભીડ તમાશો જોતી રહે છે.

લોકોની અનપેક્ષિત વર્તણૂકથી દરેકને આશ્ચર્ય થાય છે. મનોવિજ્ઞાનમાં તેને બાયસ્ટેન્ડર ઇફેક્ટ કહે છે.

This story is from the September 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024