ભારતમાં સ્થિત અનેક વિષ્ણુ મંદિરોમાં તિરુવનંતમપુરમનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર અતિ સમૃદ્ધ વિષ્ણુ મંદિર ગણાય છે. જ્યારે ઉત્તરાખંડમાં સ્થિત બદ્રિનાથ મંદિર તો દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા યાત્રીઓથી જ સમૃદ્ધિનાં શિખરો આંબતું રહે છે.
બીજું કે વિષ્ણુના ૧૦૮ દિવ્ય ક્ષેત્રના ભારત દેશમાં ભગવાન વિષ્ણુનાં મંદિરો આજન્મ પ્રવાસીએ તો પણ બાકી રહે તેટલાં છે અને તેવા અખૂટ ખજાનામાંનું એક મંદિર છે ઉત્તર ગુજરાતનું આપણું શામળાજીનું મંદિર.
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં સ્થિત આ ઐતિહાસિક વિષ્ણુ મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. અરવલ્લીની પર્વતમાળાથી ઘેરાયેલું શામળાજીનું આ મંદિર પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્રપુરી, રુદ્ધેયા, ગદાધર ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. ગુજરાતના સીમાડે લગભગ મેવાડની ધાર પર સ્થિત આ મંદિર ગુજરાતના પંદરમી સદી પછી બંધાયેલાં મંદિરોમાં ઉત્તમ તો ગણાય જ છે, પરંતુ અરણ્યનું સૌંદર્ય લઈને લાખો લોકોને આકર્ષતું આ મંદિર તેના શિલ્પ સૌંદર્યને કારણે સ્થાપત્ય પ્રેમીઓનું પણ ચહિતું ગંતવ્ય છે.
જગતીનો વિશાળ ભાગ ધરાવતાં આ ઉત્તરાભિમુખ મંદિરમાં મૂળ સ્થાન તો ભગવાન ગદાધરનું મંદિર છે જે મોટા હાથીઓવાળા પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તદલ દેવાલયરૂપે દેખાય છે. ગજથર અને તોરણવાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરનાં પગથિયાં નજરે ચડે છે અને નજરે ચડે છે ચાલુક્ય શૈલીનું બે માળનું શામળાજીનું મંદિર પણ.
અહીંના વનવાસીઓમાં ધોળીધજા તરીકે ઓળખાતા આ મંદિરનાં પગથિયાં ચડ્યા પછી સભામંડપ, અંતરાલ અને ગર્ભગૃહ આવે છે. આમ જુઓ તો મંદિરની અંદરની દીવાલો પર અને મંદિરના સ્તંભો ઉપ૨ પણ મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભો પર જોવા મળે છે એટલું કોતરકામ નથી, પરંતુ ફૂલવેલ જેવી આકૃતિ ધરાવતાં સ્તંભો ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એવા ત્રણ કલાત્મક ભાગમાં વહેંચાયેલા છે.
This story is from the September 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન