૧૭મી સદીના બેલ્જિયમના ચિત્રકાર જેકબ પીટર્સે દોરેલું ૧૬૯૦ના સુરત બંદરનું ચિત્ર
ભારતના પશ્ચિમ કિનારે આવેલી ભૌગોલિક પરિસ્થિતિને કારણે વિદેશી વેપારમાં ગુજરાતનું મહત્ત્વનું સ્થાન હતું. એમાંય સુરતનું બંદર દેશ અને દુનિયા સાથેના વેપારનું કેન્દ્ર બનેલું હતું. જોકે, ઇતિહાસકારો પાસે મુઘલ શાસનકાળની રાજકીય અને લશ્કરી ઘટનાઓ વિશે ઢગલાબંધ વિગતો છે, પણ તેમની પાસે તત્કાલીન લોકોની આર્થિક સ્થિતિ અને તેમની વ્યાપારી પ્રવૃત્તિઓ વિશે ચપટી જેટલી જ વિગતો છે. અલબત્ત, તે સમયગાળાના અંગ્રેજી અને ડચ દસ્તાવેજો રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
૧૭મી સદીમાં સુરત અને દેશના અન્ય ભાગોની મુલાકાતે આવેલા યુરોપિયન પ્રવાસીઓએ લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ અને તેમની વ્યાપારી પ્રવૃત્તિઓનો આબેહૂબ ચિતાર આપ્યો હતો. ૧૫૧૪માં આવેલા પોર્ટુગીઝ પ્રવાસી બાર્બોસાએ સુરત વિશે આમ કહેલું, ‘તમામ પ્રકારના વ્યવસાયમાં ખૂબ જ મોટા વેપારનું શહેર, રાજાને મબલખ આવક રળી આપતું એક અત્યંત મહત્ત્વપૂર્ણ બંદર.’ ૧૭મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન આ શહેર આંતરદેશીય અને દરિયાઈ બંને રીતે વેપારના બજાર તરીકે ધમધમતું હતું અને મુઘલ સામ્રાજ્યનું મુખ્ય બંદર હતું.
સુરત શહેરમાં પ્રવેશવા માટે અનેક દરવાજાઓ હતા. ત્રણ મુખ્ય દરવાજા, એક ખંભાત અને અમદાવાદ તરફ, અન્ય બુરહાનપુર અને નવસારીના માર્ગે ખૂલતા હતા. દરેક નાકે આવતી-જતી તમામ વ્યક્તિઓ પર નજર રાખવા ચોકીદાર ખડે પગે રહેતા. શહેરમાં સામાન્ય અને ભવ્ય બંને પ્રકારની ઇમારતો હતી. શ્રીમંત લોકો પોતાની સમૃદ્ધિ જાહેર ન થઈ જાય એ માટે ભવ્ય આવાસમાં નહોતા રહેતા.
સુરતના વિશ્વપ્રસિદ્ધ વેપારી વીરજી વોરા
ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સેવા આપનાર ફિન્ચ નામનો એક વેપારી તેના પ્રવાસ વર્ણનમાં સુરતને આ રીતે યાદ કરે છેઃ ‘શહેરમાં સમૃદ્ધ વેપારીઓનાં અનેક રહેણાકો આવેલાં છે. ધસમસતી નદીની સમાંતરે ૨૦ માઈલ સુધી વિસ્તરેલો વહાણવટાનો ઉદ્યોગ, ઉતારવામાં આવતો માલસામાન, ચોમાસામાં ભરતી વેળા ભરાઈ જતા ૧૮ ફૂટના પાણી. શહેર તરફ વહેતા નદીના આ પ્રવાહમાં તરી શકતા ભારેખમ જહાજો.’ જૂના જમાનામાં પણ આ નગર ખૂબ જ વસતિ ધરાવતું અને વેપારીઓથી ભરેલું હતું. અહીં યુરોપિયનો ઉપરાંત, તુર્ક, યહૂદી, અરબી, ઈરાની અને આર્મેનિયન જેવા વિદેશી લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસવાટ કરતા.
This story is from the March 25, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 25, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન