આર્ચી કાલથી તેના રૂમમાંથી બહાર નથી આવી. જમવા માટે આવી ત્યારે પણ ચિંતામાં હોય તેવું લાગતું હતું. મેં તેને પૂછ્યું પણ ખરા કે, શું થયું બેટા? કેમ આમ તારો ચહેરો ઊતરેલો છે? તારી ફ્રેન્ડ નેન્સી સાથે ઝઘડો થયો કે શું? પણ તે કશું જ બોલ્યા વગર તેના રૂમમાં ચાલી ગઈ. આર્ચીનાં મમ્મી ગાયત્રીબહેને એક શ્વાસમાં પતિ રાકેશને બધી વાત કરી. હવે તો રાકેશભાઈ પણ ટેન્શનમાં આવી ગયા. માતા-પિતા વિચારતાં હતાં કે એવું તો શું થયું છે કે હસતી-રમતી આર્ચી એકદમ શાંત થઈ ગઈ છે, આ વખત તો તે બોર્ડમાં છે. ભણવામાં પણ કેટલી હોશિયાર છે, વગર કહે જાતે જ પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે. તો પછી થયું શું..? એ દિવસે સાંજે જ ગાયત્રીબહેન અને રાકેશભાઈએ દીકરીને પાસે બેસાડીને શાંતિથી પૂછ્યું કે, તું કેમ ચિંતામાં રહે છે? શું થયું છે તને..? જો તું આટલો બધો ભાર લઈશ તો પરીક્ષા પર તેની અસર થશે. બસ, માતા-પિતાના આટલા શબ્દોથી આર્ચીનાં આંખમાં આંસુ આવી ગયાં. કહેવા લાગી મને પરીક્ષાની જ ચિંતા છે. ગાયત્રીબહેન બોલ્યાં, પણ તું તો ભણવામાં ખૂબ હોશિયાર છે, તારે તો બધી પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવે છે, તો તું શું કામ ગભરાય છે? આર્ચીએ કહ્યું, મમ્મી તૈયારી તો બધી કરી લીધી છે, પણ મને ડર લાગે છે કે હું લખી શકીશ કે નહીં? ક્યાં મારો નંબર આવશે, પેપર સ્ટાઇલ કેવી હશે, અન્ય શાળામાં નંબર આવશે તો કેવી રીતે મૅનેજ કરીશ? આ ઉપરાંત પણ અનેક પ્રશ્નો મને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. આ માત્ર આર્ચીનો જ નહીં, પરંતુ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતાં લગભગ દરેક વિદ્યાર્થીઓનો છે. ધોરણ ૧૦ની પરીક્ષાનું જેટલું એક્સાઇમૅન્ટ હોય છે એટલો જ તેમનામાં ડર પણ હોય છે. અનેક સવાલો એવા હોય છે જેનો જવાબ તેમની પાસે નથી હોતો અને અન્ય કોઈ વ્યક્તિ સાથે ખૂલીને પોતાના ડર વિશે ચર્ચા પણ કરી નથી શકતા. જેના કારણે ઘણીવાર એવું પણ બને છે કે હોશિયાર વિદ્યાર્થી પણ બધી જ તૈયારી કર્યા પછી પરીક્ષામાં બરોબર લખી નથી શકતા અને અંતે ધાર્યું પરિણામ નથી આવતું. જેના લીધે ઘણીવાર તો વિદ્યાર્થીઓ ડિપ્રેશનની સાથે-સાથે આપઘાત જેવાં પગલાં પણ ભરી લેતાં હોય છે.
જોકે આ વખતે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલાં જ તેમના તમામ સવાલોના જવાબ, તેમના ડર સામે લડવાની ક્ષમતા મળી જશે, કારણ કે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે.
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?
રાજકાજ
કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન
રાજકાજ
સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.