અમદાવાદના થલતેજ વિસ્તારમાં વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર તરીકે ખ્યાતિ પામેલા બાલકૃષ્ણ દોશીનો જગવિખ્યાત ‘સંગાથ’ સ્ટુડિયો આવેલો છે. પ્રાકૃતિક તત્ત્વો એનું મહત્તમ સૌંદર્ય વેરી શકે એવી એમની ઑફિસમાં હું એમને પૂછું છું: ‘કોઈ પણ સ્થાપત્યમાં તમે કયાં તત્ત્વોને પ્રાધાન્ય આપો છો?’
આનંદ જેમનું આભૂષણ છે અને સાદગી જેમનું સૌંદર્ય છે એવા દોશીસાહેબ સાથે વાત કરવી એટલે જીવનની અનેક સકારાત્મક ધારાઓને પામવી. વય વધવાની સાથે જેમનામાં માનવીય તેજ પ્રતિભાપુંજ થઈ ઓપી રહ્યું છે એવા દોશીસાહેબની કાળી ફ્રેમના ચશ્મા નીચેની તરલ આંખોમાં ચળકાટ આવે છે. લાંબા શ્વેત કેશ પર તેઓ જરાક હાથ ફેરવી લે છે. મુખ પર આછી તાલાવેલી છે અને ઉત્તર આપતા તત્પર ઓષ્ઠ થોડું વંકાય છે. તેઓ કહે છે: ‘હું પ્રાધાન્ય આપું છું માણસાઈને અને બીજું હું કહું તો ઉત્સવને. એ બે વસ્તુ મને ખબર છે. ઘરમાં સતત ઉત્સવ થતો હોય.. હું વૈષ્ણવ છું એટલે મારી આસપાસ સતત શૃંગાર હોય, ભોજન હોય, આનંદ હોય, ગીત હોય, સંગીત હોય.. તો એ વસ્તુ મારામાં પહેલેથી જ આવી છે કે, પૂજાપાઠ હોય, ધર્મ હોય, મંદિરમાં જવાનું હોય.. આ બધી વસ્તુ તમે કરતા હો તો એ મારા હિસાબે સ્થાપત્યમાં આવવી જોઈએ. મને એક ગુરુ મળેલા, એટલે એમણે મને એક વખતે કહેલું.. લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે.. કે જ્યારે પણ તમે મકાન બાંધો ત્યારે એમ સમજજો કે મંદિર છે! એટલે સ્થાપત્યને મૂળ હું મંદિર સમજું છું, રહેઠાણ નથી સમજતો.' આવી તો એમની અનેક વાતો યાદ આવે છે ને સાદગી, સરળતા સાથે અનુપમ સુંદરતા વણનારા દોશીસાહેબની સુદીર્ઘ, ભવ્ય કર્મયાત્રા યાદ આવે છે.
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન