૨૨ વર્ષ ને ૮ મહિના પહેલાં એક બાપે દીકરા માટે જોખમ લીધું હતું. ફિલ્મ બનાવીને રિલીઝ કરવાનું રિસ્ક! ડિસ્ટ્રિબ્યુટર્સે કહ્યું હતું કે રિલીઝ ડેટ આ ન રાખો, બદલી નાખો. કેમ કે તે ફિલ્મના અઠવાડિયા પહેલાં શાહરુખ ખાનની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ રિલીઝ થઈ હતી અને અઠવાડિયા પછી આમિર ખાનની ‘મેલા’ રિલીઝ થવાની હતી. અનિલ કપૂરની ભરપૂર પબ્લિસિટી બાદ આવેલી ‘પુકાર’ને પણ બે અઠવાડિયાં જ થયાં હતાં, પણ પિતા ન માન્યા. એટલું જ નહીં, તેમણે તો ફિલ્મને એ વિસ્તારમાં પણ રિલીઝ કરી, જ્યાં ડિસ્ટ્રિબ્યુટર્સે ચોખ્ખી ના પાડી હતી. કહે છે કે, તેના માટે નિર્માતા-દિગ્દર્શક પિતાએ પોતાનું ઘર ગિરવે મૂક્યું હતું.
તે પિતા એટલે રાકેશ રોશન અને તેમનો દીકરો એટલે ડેબ્યુટન્ટ એક્ટર રિતિક રોશન! તે ફિલ્મ ૨૦૦૦ની બિગેસ્ટ હિટ સાબિત થઈ. એટલું જ નહીં, દરમિયાનની ગંજાવર ‘મહોબ્બતેં', બાદમાં ડિઝાસ્ટર સાબિત થયેલી ‘મેલા’ અને ‘ધડકન' કરતાં પણ આગળ રહી. મૂળ તો રાજેશ ખન્નાની ‘આરાધના’ જોઈને રાકેશ રોશનને એક જ ચહેરાવાળા બે હીરોની વાર્તાનો આઇડિયા આવ્યો હતો. ‘ આરાધના’માં પિતાના મૃત્યુ બાદ સરખો ચહેરો ધરાવતો પુત્ર હોય છે. અહીં એક પ્રેમી (રોહિત)ના મૃત્યુ બાદ બીજો એક પ્રેમી (રાજ ચોપરા) આવે છે. રાકેશ રોશનની ફિલ્મોમાં સંગીત તેમના ભાઈ, રાજેશ રોશનનું રહેતું. ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ ક્લિક કરી ગઈ તેમાં મોટો ફાળો તેના સંગીતનો પણ હતો. આજે પણ લકી અલીની કોન્સર્ટ્સમાં તે ગીતોનું વન્સ મોર થાય છે.
‘પ્યાર કી કશ્તી મેં, લહેરો કી મસ્તી મેં',
‘જાનેમન જાનેમન પલટ તેરી નજર' અને
This story is from the September 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન