એ .સી.ની ઠંડી હવામાં મોબાઇલના તરંગોનું હાલરડું સાંભળતા નિદ્રામાં સરી જતી યુવાપેઢીને અંધારી રાતમાં તારાઓની બિછાત નિહાળી કલ્પનાઓમાં સરી જવાની ભવ્યતા કદાચ ન સમજાય, પણ જેણે એ માણી હોય ને એ તો જ્યારે એ ગુમાવી બેસે ત્યારે એની વ્યથા ગુલઝારના શબ્દોમાં પડઘાય,,"दिल ढूंढता है फिर वही फुर्सत के रात दिन, 'गर्मियों की रात हो पुरवइया चले... ठंडी सफेद चादरों पर जागे देर तक तारों को देखते रहे छत पर पड़े हुए". दिल ढूंढता है।
તારાઓ જોવાની ફુરસદ ડૉ. કરણ જાનીને પણ વડોદરામાં હતી ’ને મનમાં હતા અનેક પ્રશ્નો. મનમાં અધ્યાત્મ અને અંતરિક્ષ બંને તરફ સરખું ખેંચાણ હતું. અમેરિકાની Vanderbilt Universityમાં એસ્ટ્રો ફિઝિક્સ ભણાવતા ડૉ. કરણ જાની કહે છે કે, ‘વડોદરામાં અમારા ઘરમાં શિક્ષણનું વાતાવરણ તો હતું જ, દાદા શ્રેયસ સ્કૂલના સ્થાપક હોવાથી શિક્ષણની ખૂબ ચર્ચાઓ થતી, પરંતુ વિજ્ઞાન વિષય ગેરહાજર રહેતો. સમજણના ઘરમાં પ્રવેશતાં જ હું વિચારતો કે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ હશે? બ્રહ્માંડે શા માટે પૃથ્વી ઉપર મને મોકલ્યો હશે? સ્કૂલના વૅકેશન પિરિયડમાં હું નડિયાદમાં શ્રી મોટાની મૌન શિબિરો એટેન્ડ કરતો અને આ જ પ્રશ્નો અંગે વિચારતો રહેતો. મારે બ્રહ્માંડને સમજવું હતું પણ માઇથોલૉજી દ્વારા નહીં, સાયન્ટિફિક રીતે. દસમા ધોરણના વિજ્ઞાનના એક ચેપ્ટરથી હું સમજ્યો કે આપણને દેખાતી આકાશગંગા એકમાત્ર ગેલેક્સી નથી, આવી અનેક ગેલેક્સી છે અને એક એક ગેલેક્સીમાં હજાર કરોડથી પણ વધુ તારાઓ હોય છે. મારું વિસ્મય પાંખો ફડફડાવતું હતું. બારમું ધોરણ પાસ કર્યા પછી મેં એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એસસી. વિથ ફિઝિક્સનો અભ્યાસ કરવા માંડ્યો.’ આપણે એવી કેટલી બધી ઘટનાઓ કે વાર્તાઓ સાંભળી છે કે કોઈ એક પુસ્તક કે કોઈ એક વાક્ય વ્યક્તિના જીવનને એક નવો જ વળાંક આપી દે. કરણ જાની માટે પણ આવી જ કોઈક ઘટના નિયતિએ સર્જી હતી. તેઓ વધુમાં કહે છે કે, “અમારી સાયન્સ ફેકલ્ટી પાસે ફૂટપાથ ઉપર એક માણસ સેકન્ડહેન્ડ બુક વેચતો એની પાસેથી એક દિવસ મેં એક બુક ખરીદી જેનું નામ હતું ‘અ બ્રિફ હિસ્ટ્રી ઑફ ટાઇમ', સ્ટિફન હૉકિંગની આ બુક વાંચી મારું મનોજગત બદલાઈ ગયું, ત્યારે મને જાણ નહોતી કે આ બુક મને ખુદને એના લેખક સુધી દોરી જશે, કદાચ બ્રહ્માંડની મારા માટેની આ જ ભાવી યોજના હતી."
This story is from the September 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન