ભારતનાં બે પ્રાચીન મહાકાવ્યો જગતભરમાં જાણીતાં છે. એમાંનું એક છે રામાયણ અને બીજું છે મહાભારત. આ બન્ને ગાથા બે મહાવંશની કથા છે. રામાયણ સૂર્યવંશની કથા કહે છે, જેના નાયક છે સૂર્યવંશી ભગવાન શ્રીરામ અને મહાભારત ચંદ્રવંશની કથા છે, એના નાયકો કૃષ્ણ, અર્જુન તથા યુધિષ્ઠિર છે, જે ત્રણેય ચંદ્રવંશી છે.
આ બન્ને વંશ બ્રહ્માજીની છઠ્ઠી પેઢીએ શરૂ થયા. એ અગાઉની પાંચ પેઢી આ પ્રમાણે હતીઃ બ્રહ્મા, મરીચિ, કશ્યપ, સૂર્ય અને પાંચમી પેઢીએ વૈવસ્વત મનુ, જેમનાથી માનવવંશ શરૂ થયો. વૈવસ્વત મનુના આમ તો સાઠ દીકરા હતા, પરંતુ એમાંના પચાસ આપસમાં લડી મર્યા. આનો એક અર્થ એવો નીકળે કે માનવવંશમાં અંદરોઅંદર લડી મરવાની પરંપરા પહેલેથી છે. ઠીક છે, પચાસ પુત્રો મૃત્યુ પામ્યા. બચ્યા દસ. એમાં એક હતો ઈશ્વાકુ, જેનાથી સૂર્યવંશ શરૂ થયો અને બીજો હતો સુદ્યુમ્ન, જેનાથી ચંદ્રવંશ શરૂ થયો, આ રીતે..
આ સુદ્યુમ્ન એક વાર જંગલમાં ગયેલો. કાળનું કરવું કે એ જ વખતે જંગલમાં શિવ-પાર્વતી આવ્યાં. પાર્વતીને સંપૂર્ણ એકાંતની ઈચ્છા થઈ. એમણે શિવજીને કહ્યું કે મારે આસપાસમાં કોઈ નર ન જોઈએ. શિવજીએ તથાસ્તુ કહીને સમગ્ર જંગલમાં જેટલા પણ નર હતા એમને માદા બનાવી દીધા. જે સિંહ હતા એ સિંહણ બની ગયા, વાઘ હતા એ વાઘણમાં રૂપાંતરિત થઈ ગયા. આ બધામાં સાથોસાથ સુદ્યુમ્ન પણ નારી બની ગયો.
સુદ્યુમ્ન અતિ વ્યથિત થયો. એણે માતા પાર્વતી પાસે પોતાની વેદના વ્યક્ત કરી. પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે કહ્યું: ‘શિવજીના પ્રભાવને તો હું મિથ્યા ન કરી શકું, પરંતુ એમાં એટલો ફેરફાર કરી શકું કે તું ચંદ્રના વૃદ્ધિકાળમાં પુરુષ બની રહીશ અને ક્ષયકાળમાં સ્ત્રી ઈલા બની રહીશ.'
સુઘુમ્નના આ નારીરૂપનાં એટલે કે ઈલાનાં લગ્ન ચંદ્રના પુત્ર બુધ સાથે થયાં. બુધ દેવલોકનો વાસી હતો, જ્યારે પત્ની ઈલા પૃથ્વીવાસી હતી. બુધ-ઈલાનો દીકરો પુરૂરવા પૃથ્વીવાસી જ બની રહ્યો. પુરૂરવા પૃથ્વીનો પ્રથમ ચંદ્રવંશી સમ્રાટ બન્યો. એ જબરો પરાક્રમી હતો. એ અપ્સરા ઉર્વશીના ઊંડા પ્રેમમાં પડ્યો. ઉર્વશી થોડા સમય સુધી પરૂરવા સાથે ધરતી પર રહી અને પછી પોતાના દેવલોકમાં પાછી ફરી, પરંતુ એ પહેલાં પુરૂરવા સાથેના સંબંધથી એણે છ પુત્રોને જન્મ આપ્યો. એમાંનો એક હતો આયુ.
Esta historia es de la edición September 18, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 18, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.