ચાર મહાવીર, છ વિનાયક, આઠ ભૈરવ, નવ ગ્રહ, દસ વિષ્ણુ, ૧૧ રુદ્ર, ૧૨ આદિત્ય, ૨૪ દેવી અને ૮૮ તીર્થ જ્યાં સ્થિત છે એ પૌરાણિક અવંતિકા નગરી (વર્તમાન ઉજ્જૈન)ના કેન્દ્રમાં રાજાધિરાજ-કાલાધિરાજ બાબા મહાકાલ બિરાજમાન છે. કહે છે કે ઋષિઓએ બ્રહ્માંડની ઊર્જાને પ્રતીક સ્વરૂપે ઉજ્જૈનમાં સ્થાપિત કરી હતી.
હજારો વર્ષ સુધી ભારતની સમૃદ્ધિ, જ્ઞાન-ગરિમા, સભ્યતા-સાહિત્યનું નેતૃત્વ અવંતિકાએ કર્યું હતું. કાલિદાસથી લઈને બાણ ભટ્ટ સુધીના કવિઓની કૃતિમાં ઉજ્જૈનનાં વૈભવ, સૌંદર્ય, સ્થાપત્ય, વાસ્તુકળા, સંસ્કાર, સંસ્કૃતિનાં ગુણગાન છલકાયાં છે.
સનાતનના અનુયાયીઓ માટે અનેક ધાર્મિક મહત્ત્વ ધરાવતું ઉજ્જૈનનું જગપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગ મંદિરમાં અનોખું ગણાય છે, કારણ કે બાબા મહાકાલનું લિંગ સ્વયંભૂ છે. કહે છે કે મહાકાલના આશીર્વાદ મળે તો કાલની રેખા પણ મટી જાય છે અને અંતથી અનંત સુધીની યાત્રાનો આરંભ થઈ જાય છે. પ્રલયના પ્રહારથી પણ મુક્ત છે એ ઉજ્જૈન મહાકાલ મંદિરના અત્યંત મહત્ત્વાકાંક્ષી વિસ્તરણનું લોકાર્પણ હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.
૩૫૬ કરોડ રૂપિયાના ખર્ચે માત્ર ચાર વર્ષમાં પૂરા થયેલા આ વિસ્તરણકાર્યની સવિસ્તર માહિતી આપતાં સરકારી કંપની ઉજ્જૈન સ્માર્ટ સિટી લિમિટેડ (યુએસએસએલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર પાઠક ચિત્રલેખાને કહે છે:
‘પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ હોવાને કારણે મહાશિવરાત્રિ, નાગપંચમી, બાબાની સવારી, વગેરે ઉત્સવો પર લાખો શ્રદ્ધાળુ અહીં આવે છે, પરંતુ ત્રણ હેક્ટરથી પણ નાના મંદિર પરિસરમાં આટલા દર્શનાર્થીઓને સમાવવા, સગવડ આપવી અને સુખરૂપ દર્શન કરાવવાં એ મોટો પડકાર રહ્યો છે. ૨૦૧૭માં મંદિરના વિસ્તરણ માટે મહાકાલ લોકની યોજના બની, ૨૦૧૮થી પહેલા તબક્કાના વિકાસનું કામ શરૂ થયું અને એના પરિણામે મંદિરનો વિસ્તાર ૪૭.૫ હેક્ટર સુધી ફેલાવી શકાયો, જેમાં ૧૭ હેક્ટરમાં રુદ્ર સાગર સરોવર છે.’
Esta historia es de la edición October 31 - November 07, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 31 - November 07, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.