ચાર મહાવીર, છ વિનાયક, આઠ ભૈરવ, નવ ગ્રહ, દસ વિષ્ણુ, ૧૧ રુદ્ર, ૧૨ આદિત્ય, ૨૪ દેવી અને ૮૮ તીર્થ જ્યાં સ્થિત છે એ પૌરાણિક અવંતિકા નગરી (વર્તમાન ઉજ્જૈન)ના કેન્દ્રમાં રાજાધિરાજ-કાલાધિરાજ બાબા મહાકાલ બિરાજમાન છે. કહે છે કે ઋષિઓએ બ્રહ્માંડની ઊર્જાને પ્રતીક સ્વરૂપે ઉજ્જૈનમાં સ્થાપિત કરી હતી.
હજારો વર્ષ સુધી ભારતની સમૃદ્ધિ, જ્ઞાન-ગરિમા, સભ્યતા-સાહિત્યનું નેતૃત્વ અવંતિકાએ કર્યું હતું. કાલિદાસથી લઈને બાણ ભટ્ટ સુધીના કવિઓની કૃતિમાં ઉજ્જૈનનાં વૈભવ, સૌંદર્ય, સ્થાપત્ય, વાસ્તુકળા, સંસ્કાર, સંસ્કૃતિનાં ગુણગાન છલકાયાં છે.
સનાતનના અનુયાયીઓ માટે અનેક ધાર્મિક મહત્ત્વ ધરાવતું ઉજ્જૈનનું જગપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગ મંદિરમાં અનોખું ગણાય છે, કારણ કે બાબા મહાકાલનું લિંગ સ્વયંભૂ છે. કહે છે કે મહાકાલના આશીર્વાદ મળે તો કાલની રેખા પણ મટી જાય છે અને અંતથી અનંત સુધીની યાત્રાનો આરંભ થઈ જાય છે. પ્રલયના પ્રહારથી પણ મુક્ત છે એ ઉજ્જૈન મહાકાલ મંદિરના અત્યંત મહત્ત્વાકાંક્ષી વિસ્તરણનું લોકાર્પણ હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.
૩૫૬ કરોડ રૂપિયાના ખર્ચે માત્ર ચાર વર્ષમાં પૂરા થયેલા આ વિસ્તરણકાર્યની સવિસ્તર માહિતી આપતાં સરકારી કંપની ઉજ્જૈન સ્માર્ટ સિટી લિમિટેડ (યુએસએસએલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર પાઠક ચિત્રલેખાને કહે છે:
‘પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ હોવાને કારણે મહાશિવરાત્રિ, નાગપંચમી, બાબાની સવારી, વગેરે ઉત્સવો પર લાખો શ્રદ્ધાળુ અહીં આવે છે, પરંતુ ત્રણ હેક્ટરથી પણ નાના મંદિર પરિસરમાં આટલા દર્શનાર્થીઓને સમાવવા, સગવડ આપવી અને સુખરૂપ દર્શન કરાવવાં એ મોટો પડકાર રહ્યો છે. ૨૦૧૭માં મંદિરના વિસ્તરણ માટે મહાકાલ લોકની યોજના બની, ૨૦૧૮થી પહેલા તબક્કાના વિકાસનું કામ શરૂ થયું અને એના પરિણામે મંદિરનો વિસ્તાર ૪૭.૫ હેક્ટર સુધી ફેલાવી શકાયો, જેમાં ૧૭ હેક્ટરમાં રુદ્ર સાગર સરોવર છે.’
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 31 - November 07, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 31 - November 07, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.
નિવૃત્તિ હોય તો આવી!
ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.