Try GOLD - Free
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
Chitralekha Gujarati
|October 13, 2025
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

આ સંઘ લેખનો આરંભ જરા જુદી રીતે, કહો કે અધવચ્ચેથી કરીએ. આજના યુગમાં પ્રચાર કે પીઆર (પબ્લિક રિલેશન્સ) એ મોટું શસ્ત્ર ગણાય છે, પણ આ દશેરાએ શાતાબ્દી ઊજવનારી વિરાટ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક (આરએસએસ, જે સંઘ તરીકે પણ ઓળખાય છે) પાસે ૧૯૯૦ સુધી તો પ્રચાર વિભાગ (પીઆર ડિપાર્ટમેન્ટ) જ નહોતો. દેશભરમાં સંઘની ૫૮,૦૦૦થી વધુ શાખામાં ૬૦ લાખથી વધુ સ્વયંસેવકો (વિરોધીઓ એમને સંઘી કહે છે) હાજરી આપે છે, છતાં સોશિયલ મિડિયા પર સંઘની ઉપસ્થિતિ તદ્દન બિનપ્રભાવશાળી છે.
એનું કારણ એ કે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, વનવાસી કલ્યાણ આશ્રમ, ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, સેવા ભારતી, સ્વદેશી જાગરણ મંચ, એકલ વિદ્યાલય જેવી પચાસથી વધુ રાજકીયસામાજિક પેટા સંસ્થાની માતૃસંસ્થા ગણાતો આરએસએસ પોતાનાં કાર્યોનો પ્રચાર કરવામાં માનતો નથી.
સંઘ સાથે સંકળાયેલા જાણીતા રાજકીય વિશ્લેષક-ટીવી ડિબેટર રતન શારદા ચિત્રલેખાને કહે છે: ‘આરએસએસના દ્વિતીય સરસંઘસંચાલક માધવરાવ ગોળવલકર ઉર્ફે ગુરુજીએ કહ્યું હતું કે સ્વયંસેવકો આપણા પરિવાર, આપણા દેશ, આપણા સમાજ વચ્ચે જ કામ કરે છે તો એનો પ્રચાર શા માટે કરવો જોઈએ? અરે, ગુરુજીએ તો દેશના ભાગલા વખતે રાહતકાર્યો કરનારા સ્વયંસેવકોને પણ કહેલું કે તમને હું શાબાશી પણ નથી આપતો. આપણું કામ જ બોલવું જોઈએ.’
સંઘના વરિષ્ઠ આગેવાનોને ટાંકીને રતન શારદા ઉમેરે છે કે સંઘ પર કોઈ આરોપ લાગે, ટીકાબાણ છૂટે, એની બદનક્ષી કરવામાં આવે ત્યારે ખુલાસા કે સામનો કરવાને બદલે મૂંગા રહીને નક્કર કામ કરતા રહેવાની તાલીમ સ્વયંસેવકોને આપવામાં આવે છે. ૧૯૯૦માં સંઘે પ્રચાર વિભાગ શરૂ કર્યો એ પછી પણ છેક ૨૦૦૫ કે ૨૦૦૬માં એમને સમજાયું કે પ્રસિદ્ધિ મેળવવા માટે હકીકતમાં કરવાનું શું હોય છે.
બસ, આ જ એક ઊણપને કારણે આરએસએસ હંમેશાં બિનસાંપ્રદાયિકવાદીઓ, વામપંથી દળો અને રાજકીય વિરોધીઓનાં નિશાન પર રહ્યો છે. ૧૯૪૮માં મહાત્મા ગાંધીજીની હત્યા કરનારો નથુરામ ગોડસે આરએસએસનો સભ્ય હતો એટલે જવાહરલાલ નેહરુની સરકારે આરએસએસ પર ત્વરિત પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે ૧૯૪૯ના જુલાઈમાં પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

This story is from the October 13, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size