Try GOLD - Free
કળા-સંસ્કૃતિના પ્રાચીન વૈભવને ઉજાગર કરતાં માનુની
Chitralekha Gujarati
|May 26, 2025
કાળની કથા કહેતા મ્યુઝિયમની મુલાકાત લેવા માટે સમાજમાં ઉદાસીન વલણ છે. એવા સમયે એક મહિલાએ મ્યુઝિયમનું મહત્ત્વ સમજાવવા કળાત્મક પ્રયોગો આદર્યા છે. જાણો, એના પ્રયોગથી પરિણામ સુધીની વાત.

સંગ્રહાલયની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની મનાઈ છે...
દેશ-વિદેશનાં ઘણાં મ્યુઝિયમમાં મુલાકાતી માટે આવી સૂચના લખી હોય છે. સંગ્રહાલય સ્ટાફ એનું પાલન પણ કરાવે છે, જે ખૂબ જરૂરી છે. દૃષ્ટિહીન વ્યક્તિએ પણ ગાઈડ કે સાથી મુલાકાતીએ આપેલી સમજ અથવા ઑડિયો ગાઈડ ઉપકરણમાંથી મળતી જાણકારીથી સંતોષ માનવો પડે. જો કે થોડા સમય પહેલાં વિપરીત દશ્ય સર્જાયું. અમદાવાદસ્થિત જાણીતા લાલભાઈ દલપતભાઈ (એલ.ડી.) મ્યુઝિયમ જોવા આવેલાં કેટલાંક પ્રજ્ઞાચક્ષુ બાળકો અમુક પ્રાચીન પ્રતિમાને સ્પર્શ કરીને એની અનુભૂતિ લેતાં હતાં... અને એ પણ મ્યુઝિયમ સ્ટાફની હાજરીમાં!
આ શક્ય બન્યું, કારણ કે મ્યુઝિયમનાં નિયામક સુજાતા પરસાઈએ પ્રજ્ઞાચક્ષુ મુલાકાતીઓને મ્યુઝિયમની જાણકારી આપવા સ્પર્શજ્ઞાનની પ્રચલિત પદ્ધતિ અપનાવી. ઉદ્દેશ એ કે સામાન્ય વ્યક્તિની જેમ દૃષ્ટિહીન લોકો પણ મ્યુઝિયમ વિશે જાણકારી મેળવી શકે, એની મહત્તા સમજી શકે અને એમનામાં પણ પ્રાચીન વારસા અંગે જાગૃતિ કેળવાય. ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુને સ્પર્શ દ્વારા મ્યુઝિયમની અનુભૂતિ કરાવવાનો આ સંભવતઃ પ્રથમ પ્રયોગ હશે.
આ સુજાતાબહેને એમ તો પાંચેક વર્ષમાં આ મ્યુઝિયમની જાણકારી સમાજના વિવિધ વર્ગના લોકો સુધી પ્રસરાવવા અવનવા પ્રયોગ કર્યા છે.
એ પ્રયોગો વિશે જાણતાં પહેલાં આપણે લઈએ એમનો પરિચય.
સુરતના જૈન પરિવારમાં જન્મેલાં સુજાતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતક અને દિલ્હીના નૅશનલ મ્યુઝિયમ ઈન્સ્ટિટ્યૂટમાંથી મ્યુઝિયોલૉજીમાં અનુસ્નાતક થયાં. પછી લંડનના વિખ્યાત વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનાં ફેલો તરીકે છ મહિના અભ્યાસ કર્યો. યુવાવયે મધ્ય પ્રદેશવાસી એન્જિનિયર વિદ્યાશંકર પરસાઈ સાથે લગ્ન કરીને દિલ્હી અને બાદમાં સુરત રહ્યાં. એ દરમિયાન એમણે સુરતના તાપી કલેક્શન માટે મ્યુઝિયમ કન્સલ્ટન્ટ તથા દિલ્હીની નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટમાં પ્રોગ્રામ ઑફિસર તરીકે કામ કર્યું તો પાંચેક વર્ષથી એ અમદાવાદમાં એલ.ડી. મ્યુઝિયમનાં નિયામક છે.

This story is from the May 26, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size