Try GOLD - Free
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati
|June 03, 2024
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

સ્વાસ્થ્ય જાળવવા માટેની મુખ્ય ચાવી પોષણયુક્ત આહાર છે. તમે તમારી દિનચર્યા બરાબર જાળવો અને પોષક આહાર લો તો તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે એ નક્કી છે, પરંતુ જંક ફૂડના આ જમાનામાં પોષણ જાળવી રાખવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. મોટા ભાગના માણસો રોજિંદી ઘટમાળમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સપ્તાહમાં બે-ચાર વખત ઘરના સાત્ત્વિક ખોરાકની જગ્યાએ એ બહારના, તાજા અને પૌષ્ટિક પણ ના હોય (ટૂંકમાં, મહદંશે બિનઆરોગ્યપ્રદ હોય) એવો આહાર લે છે. એના પરિણામે નાની ઉંમરે ડાયાબિટીસ જેવી વ્યાધિનું જોખમ વધતું જાય છે.
દિવસ દરમિયાન તમે જે પણ આહાર લો, એની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. મૂળ તો તમે જે પણ ખાદ્ય પદાર્થ લો એનાં સારાં-નરસાં પાસાં વિશે માહિતગાર હો એ જરૂરી છે, કારણ કે એ સજાગતાથી જ તમે તમારા શરીરને જાળવી શકો છો. એ ઉપરાંત, આહારનો સ્વાદ અને સંતોષ પણ મેળવી શકો છો.
આહાર લેતી વખતે પણ તમારું પૂરતું ધ્યાન ખોરાક પર હોવું જરૂરી છે અને આથી જ ટીવી જોતાં જોતાં, ફોનમાં વાત કરતાં કરતાં કે કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં કરતાં જમવું ન જોઈએ. આવી આદતથી તમે જે ખોરાક લઈ રહ્યા છો એની ગુણવત્તા તેમ જ માત્રામાં પણ ધ્યાન આપી શકતા નથી, જે ભવિષ્યમાં વજન પણ વધારી શકે છે. આ આદત ચાલુ રહી તો વજન વધવાને કારણે મોટી ઉંમરે તમારું શરીર ઘણાય રોગ નોતરી શકે છે એટલે સામાન્ય લાગતી આ આદતને થોડી ગંભીરતાથી લેવી જરૂરી છે. આખરે તંદુરસ્તી તમારા હાથમાં જ છે.
This story is from the June 03, 2024 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size