Try GOLD - Free
અમે પાગલોના નહીં, ડાહ્યા લોકોના ડોક્ટર છીએ!
Chitralekha Gujarati
|May 01, 2023
સાઈકિયાટ્રિસ્ટ પાસે સારવાર લેવામાં આપણને આટલો સંકોચ કેમ છે?

બારમા ધોરણમાં આવેલો ચિરાગ બેએક મહિનાથી ઉદાસ રહેતો હતો. સરખું ભણે નહીં. કોઈની સાથે વાત ન કરે. નાની-નાની વાતમાં ગુસ્સો કરવા માંડે. એની મમ્મી શિલ્પાને અણસાર આવવા લાગ્યો. કરિયર ઠેરવવાના ટેન્શનને કારણે દીકરાને ડિપ્રેશનનાં લક્ષણો લાગતાં હતાં એટલે શાહદંપતીએ સાઈકિયાટ્રિસ્ટ પાસે જવાનું નક્કી કર્યું. જો કે ઘરના વડીલે વાંધો લીધોઃ એવી વળી કઈ બીમારી છે કે આવા ડૉક્ટર પાસે જવું પડે? એના કરતાં સરખું ખવડાવો–પિવડાવો, એકાદ વાર બહાર ફરી આવો એટલે બધું સારું થઈ જાય.
જો કે એવું ના થયું. એક દિવસ તો ચિરાગે આપઘાતનો પ્રયાસ કર્યો. છેવટે એને એક સાઈકિયાટ્રિસ્ટ પાસે લઈ જવામાં આવ્યો. એમની સારવારથી ચિરાગ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો. થોડા મહિના પછી એની દવા પણ બંધ થઈ ગઈ.
અલકા અને રમેશનું દામ્પત્યજીવન મુશ્કેલીમાં હતું. બન્ને પોતપોતાની કરિયરમાં બિઝી રહેવાથી એકમેકથી દૂર થઈ ગયાં હતાં. લગ્નને ચાર વર્ષ થઈ ગયાં હતાં, પણ બન્ને વચ્ચેની આત્મીયતા ઓછી અને કંકાસ વધતો જતો હતો. વાત છેવટે છૂટાછેડા સુધી પહોંચી ગઈ. તોય કોઈકની સમજાવટથી બન્નેએ નક્કી કર્યું કે છેલ્લા ઉપાય તરીકે કાઉન્સેલિંગ ટ્રાય કરીએ. વાત જાણીને ઘરવાળા થોડા નારાજ થઈ ગયાઃ ઘરની વાતમાં, મિયાં-બીવી વચ્ચે ત્રીજી વ્યક્તિનું શું કામ? જો કે અલકા અને રમેશ એક ફૅમિલી કાઉન્સેલરને મળ્યાં. એમની સાથેની અમુક સેશન્સ પછી બન્ને વચ્ચેની વાતચીતમાં એકમેક સામે ફરિયાદને બદલે એકબીજાને સમજવાની લાગણી ઊભી થઈ, કંકાસ પણ ઘટ્યો.
This story is from the May 01, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size