Try GOLD - Free
લો બોલો, ચીન કરી રહ્યું છે કૃત્રિમ સૂર્યનું નિર્માણ!
Chitralekha Gujarati
|April 03, 2023
શું ફ્યુઝન પ્રક્રિયાથી સૂર્યને પૃથ્વી પર ઉતારવાની વાત વાસ્તવિકતા બની જશે?

૧૯૫૦ના દાયકામાં અણુનો શાંતિમય ઉપયોગ કરવા માટે સ્વિત્ઝરલૅન્ડના જીનિવા શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. હોમી ભાભાએ કહ્યું હતું: ‘લૅબોરેટરીમાં ફ્યુઝન પાવરના વપરાશથી અવરિત ઊર્જા મળી રહે એ દિવસો દૂર નથી. બે દાયકાની અંદર આ પ્રયોગ સાકાર સ્વરૂપે સંભવ હશે.’
આ વાતનાં થોડાં વર્ષોમાં જ ડૉ. હોમી ભાભાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું એટલે ફ્યુઝન પાવર અને અવિરત ઊર્જાની એમની વાત સમય સાથે વિસરાતી ગઈ. એમણે કરેલી ફ્યુઝન પાવરથી અવિરત ઊર્જાની જાહેરાત તો પૂરા સાત દાયકાથી પ્રયોગની પ્રયોગ જ રહી છે, સાકાર નથી થઈ.
જો કે એવું નથી કે ડૉ. હોમી ભાભા કહેતા હતા એ ફ્યુઝન પાવરના પ્રયોગ કોઈએ કર્યા નથી. આજની તારીખમાં પણ ફ્યુઝન પ્રક્રિયાથી ઊર્જાનિર્માણના પ્રયોગો તો ચાલી જ રહ્યા છે અને આ પ્રયોગોની સફળતાની અગાઉ ક્યારેય નહોતી એટલી શક્યતા હવે વર્તાઈ રહી છે.
શું છે ફ્યુઝન પ્રક્રિયાથી ઊર્જાનિર્માણ?
ફ્યુઝન પ્રક્રિયા એટલે બે અણુના સંયોજન (ફ્યુઝન)થી ઊર્જાની ઉત્પત્તિ કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે આકાશમાં તપતો સૂરજ. સૂરજમાંની ફ્યુઝન પ્રક્રિયા વિશે વાત કરતાં પહેલાં આપણે આપણા આ સૂરજદાદાને બરાબર જાણી લઈએ.
૭૮.૪ ટકા હાઈડ્રોજન અને ૧૯.૮ ટકા હિલિયમના બનેલા સૂર્યનું પેટાળ ૧,૫૦,૦૦,૦૦૦ સેલ્સિયસ તાપમાને તપે છે. આ ગરમી એટલી વધારે છે કે ત્યાંનો એક ટાંકણીના સૂક્ષ્મ ટપકા જેટલો પદાર્થ ૧૬૦ કિલોમીટર દૂરથી પણ માણસને રાખમાં ફેરવી શકે!
સૂર્યના કેન્દ્રમાં દબાણ દર ચોરસ ઈંચે ૩૩૦ કરોડ ટન જેટલું છે એટલે કે પૃથ્વીની સરખામણીએ એક લાખ ગણું વધારે છે. આ દબાણ વચ્ચે હાઈડ્રોજનના અણુ એકબીજા સાથે ચોંટીને (ફ્યુઝ થઈને) નવું અણુમાળખું બનાવે છે. પ્રતિ મિનિટે ૪૦ અબજ ટન જેટલા હાઈડ્રોજનના અણુ ફ્યુઝ થઈને હિલિયમમાં રૂપાંતરિત થાય છે.
આ પ્રક્રિયામાં ૪૦ અબજ ટન હાઈડ્રોજનના અણુ સામે બરાબર એટલો જ હિલિયમનો પુરવઠો નિર્માણ નથી થતો, પણ પ્રક્રિયા દરમિયાન થોડોક હિસ્સો રહી જાય છે, તો આ હિસ્સાનું શું થાય છે? વેલ, આગળ જાણીએ.
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size