Try GOLD - Free
કાગડોઃ શુભ કે અશુભ?
Chitralekha Gujarati
|September 26, 2022
પિતૃપક્ષના મુખ્ય નાયક ગણાતા કાગડા ચતુર, હિંમતવાન, બુદ્ધિશાળી હોવા ઉપરાંત પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. એમની ઘટતી વસતિ કર્મકાંડની દૃષ્ટિએ જ નહીં, પણ પર્યાવરણ સમતુલાની દૃષ્ટિએ પણ ચિંતાજનક છે.

કાગડો એવું પક્ષી છે, જેને લોકો એક બાજુ અશુભ ગણીને એની મજાક-મશ્કરી કરે છે તો બીજી બાજુ પિતૃપક્ષમાં એને ખૂબ મહત્વ આપે છે. કાગડાને મૃત વ્યક્તિ સાથે એટલે કે પૂર્વજો સાથે જોડીને એને શ્રાદ્ધની વિધિનો એક હિસ્સો બનાવી દેવામાં આવ્યો છે. આ અતિશય બુદ્ધિશાળી પક્ષીને સમાજના કેટલાક લોકો મૂર્ખ પણ સમજે છે. વાસ્તવમાં ગેરસમજ અને પૂર્વગ્રહોને દૂર રાખીને કાગડાને સમજવાની જરૂર છે.
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે. એને શ્રાદ્ધપક્ષ પણ કહેવામાં આવે છે. પિતૃપક્ષનો સમયગાળો ભાદરવી પૂનમથી અમાસ સુધીનો હોય છે. પરંપરાગત માન્યતા અનુસાર આ દિવસોમાં દિવંગત પૂર્વજો પૃથ્વી પર આવતા હોય છે એથી એમને આદરપૂર્વક યાદ કરવામાં આવે છે, જે કંઈ ભૂલ થઈ ગઈ હોય એને માટે એમની ક્ષમા માગવામાં આવે છે. એમના આત્માને શાંતિ મળે, સદ્ગતિ પ્રાપ્ત થાય એવી આશા-શ્રદ્ધા સાથે દાનધર્મ (પિંડદાન) કરવામાં આવે છે. અનેક પ્રકારની વિશેષ ધાર્મિક વિધિ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પિતૃપક્ષને અશુભ ગણવામાં આવે છે એટલે એ દિવસોમાં અમુક ઉજવણી કે ઉત્સવ ન કરવાની સલાહ આપવામાં આવી છે, શુભ કે નવાં નિર્ણયો કે કામો હાથ પર લેવાનું ટાળવું જોઈએ, કોઈ મોટી ખરીદી પણ કરવી ન જોઈએ. આ ધાર્મિક વિધિઓમાં કાગડાને માનવીઓ અને દિવંગત પૂર્વજો વચ્ચેના એક માધ્યમ તરીકે ગણવામાં આવે છે. એવું મનાય છે કે દિવંગત પૂર્વજોને ભાવતાં ભોજન-ખાદ્ય પદાર્થો કાગડાને ખવડાવવાથી એ પૂર્વજો સુધી પહોંચે છે અને એમનો આત્મા પ્રસન્ન થાય છે.
This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size