Denemek ALTIN - Özgür
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati
|February 24, 2025
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

પાસ્કલનો સિદ્ધાંત...
એક યુવાન વિદ્યાર્થી ફ્રેન્ચ વિજ્ઞાની અને વિચારક બ્લેઈસ પાસ્કલ પાસે ગયો અને કહ્યું: ‘મારી પાસે તમારા જેવું મગજ હોત તો હું બહેતર વ્યક્તિ હોત.’ પાસ્કલે થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યુંઃ ‘તું બહેતર વ્યક્તિ બન, મગજ મારા જેવું બની જશે.’ પ્રયાગરાજના કુંભમેળામાં નાસભાગ થઈ અને અનેક લોકો કચડાઈને માર્યા ગયા ત્યારે ભક્તિની આવી ભીડની ટીકા કરતા લોકોનાં મોઢે એક જાણીતી કહેવત સાંભળવા મળી હતીઃ મન ચંગા તો કથોટી મેં ગંગા અર્થાત્ મન શુદ્ધ હોય તો ઘરમાં જ ગંગા છે.
આ કહેવત અલગ અલગ પ્રસંગોએ બોલાય છે. આ કહેવત કાશીના સંત રવિદાસ (રેદાસ) સાથે જોડાયેલી છે. વિદાસ મધ્યયુગીન ભારતના ગુરુ મનાય છે. એમનાં અમુક ભજનો શીખોના પવિત્ર ગુરુગ્રંથ સાહિબમાં પણ સામેલ છે. રવિદાસ બૌદ્ધ પરંપરાના પ્રગતિશીલ સંત હતા અને સમાજ તેમ જ ધર્મોમાં વ્યાપ્ત કુરિવાજો, આડંબર અને અંધવિશ્વાસ પર લખતા-બોલતા રહેતા હતા. એ ચમાર જાતિમાં જન્મ્યા હતા અને મોચી તરીકે કામ કરતા હતા. પોતાના કામમાં એ સંપૂર્ણ સમર્પિત હતા. એક રીતે એ જ એમની સાધના હતી.
મન ચંગા તો કથોટી મેં ગંગા કહેવત પણ આમ તો ગંગાનું પાણી પાપ ધોઈ નાખે છે એવી અંધશ્રદ્ધા પર એક ચાબખા સમાન જ છે, પરંતુ રવિદાસ એ ક્યારે બોલ્યા હતા એને લઈને અનેકમાંથી એક પ્રચલિત પ્રસંગ છે. એક દિવસ રવિદાસ ભગવાનનું ભજન કરતાં કરતાં એમનું મોચીકામ કરી રહ્યા હતા ત્યારે એક બ્રાહ્મણ વટેમાર્ગુ એનાં જૂતાં ઠીક કરાવવા માટે આવ્યો.
રવિદાસ સાથે વાતચીતમાં એણે કહ્યું કે એ ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યો છે. જૂતાં ઠીક થઈ ગયા પછી બ્રાહ્મણે રવિદાસને મહેનતાણામાં એક મુદ્રા આપી. રવિદાસે મુદ્રાને પાછી આપતાં કહ્યું: ‘તમે મારા વતી આ મા ગંગાને અર્પણ કરજો.'
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 24, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size