રવિવાર, ૨૫ ફેબ્રુઆરીએ સૂર્ય મધ્યાહ્ને પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે મિડિયામાં ન્યુઝ બ્રેક થયા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરીને દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો નિહાળશે.
પીએમના સત્તાવાર કાર્યક્રમમાં આ વાતનો ઉલ્લેખ નહોતો એટલે દ્વારકામાં હાજર પત્રકારો અને મોટા ભાગના બ્યુરોક્રેટ્સને પણ સાહેબના સ્કૂબા ડાઈવિંગ સાહસનો અણસાર નહોતો. જો કે આ કાર્યક્રમ અચાનક ગોઠવાયો નહોતો, પણ આ એક એવું ખાનગી મિશન હતું, જેની તૈયારી બેએક મહિના અગાઉ સરકારી એજન્સીઓએ દિલ્હીથી મળેલા આદેશ બાદ શરૂ કરી દીધી હતી.
સમયપત્રક અનુસાર નરેન્દ્ર મોદીએ ૨૫ ફેબ્રુઆરીની સવારે બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ (સિષ્નચર બ્રિજ)નું લોકાર્પણ કર્યા બાદ દ્વારકા જગતમંદિરે પહોંચી ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું. પછી એકાએક મંદિરના પાછળના ભાગે આવેલા સુદામા સેતુ તરફ જવા માંડ્યા ત્યારે ઉપસ્થિતોને અણસાર આવતો ગયો કે સાહેબ સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે એટલે કંઈક નવો અખતરો હોઈ શકે. મોદી પંચકૂઈ ટાપુએ પહોંચ્યા ત્યારે લગભગ પાક્કું થઈ ગયું કે વડા પ્રધાન દરિયામાં સ્કૂબા ડાઈવ કરી પ્રાચીન દ્વારકાનાં દર્શન કરશે.
અને એમનું આ મિશન સફળ રહ્યું. એમણે દરિયામાં ત્રીસેક ફૂટ નીચે જઈને પ્રાચીન અવશેષો નિહાળી, દ્વારકાધીશને પ્રાર્થના કરી સાથે લાવેલા મોરપીંછને એ પથ્થરના છિદ્રમાં ખોસ્યું. કલાક-બે કલાકમાં આ ઘટનાના ફોટા અને વિડિયો ખુદ નરેન્દ્ર મોદી અને બીજા સેંકડો લોકોએ સોશિયલ મિડિયામાં શૅર કર્યા. દુનિયાભરના લોકો માટે આ એક સુખદ આશ્ચર્ય હતું.
અહીં સવાલ એ છે કે વડા પ્રધાનને દ્વારકાના દરિયામાં ગોતાખોરી કરાવવાના સફળ મિશનનો ખરો હીરો કોણ? તો જાણી લો કે આ સાહસમાં છે મૂળ દ્વારકાના એવા ગી રિકાના પ્રોફેશનલ સ્કૂબા પડદા પાછળ જેની મુખ્ય ભૂમિકા હતી એ છે મૂળ દ્વારકાના ૧ પ્રોફેશનલ સ્કૂબા ડાઈવર કિરીટ વેગડ. આ ભૂમિકા સફળતાથી ભજવીને એમણે ઈન્ડિયન નેવી અને તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ)ના અધિકારીઓની શાબાશી મેળવી.
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.