મૂક-બધિર, દિવ્યાંગ બાળકોના શિક્ષક તરીકે સાઈન લૅન્ગ્વેજ શીખવાનો અમારો વર્ગ ચાલતો હતો. પ્રોજેક્ટર દ્વારા સ્ક્રીન પર સાઈન લેંગ્વેજ શીખવવામાં આવતી હતી અને સાથે ઑડિયો દ્વારા પણ એ સંજ્ઞા સ્પષ્ટ કરવામાં આવતી હતી. જો કે દશ્યોની સાથે કશું લખાણ આવતું નહોતું એટલે મુશ્કેલી થતી હતી. તમારી નજર તો સ્ક્રીન પર હોય, પરંતુ સાંભળવામાં બેધ્યાન થયા તો કશું જ સમજાય નહીં. આ વ્યથા મેં અનુભવી ત્યારે થયું કે હું તો સાંભળી–બોલી શકું છું, પણ મૂક-બધિર બાળકોનું શું? એ તો સાંભળી શકતાં નથી એટલે એમના માટે માત્ર સંજ્ઞા જ મહત્ત્વની હોય છે. આ સંજ્ઞા વધુ સ્પષ્ટ કરતું લખાણ પણ મૂક-બધિર બાળકોને મળી જાય તો? આ વ્યથાથી નીપજેલી સંવેદના મારા શિક્ષણ અને મૂક-બધિર બાળકો અને એમના વાલીઓ સાથેના વ્યવહારમાં કેન્દ્ર બની ગઈ...’
દેશમાં લાખો મૂક-બધિર બાળકો છે અને એમને તાલીમ આપનારા સેંકડો શિક્ષકો પણ દેશમાં છે. જો કે ભાવનગરનાં ડૉ. કવિતા શાહ એ બધામાં કંઈક વિશેષ છે. એનું કારણ એ કે એમને આ દિવ્યાંગ બાળકોની વ્યથા તો સતત સંભળાય છે જ, સાથે વાલીઓની અબોલ પીડા પણ એમને કાને પડે છે. કવિતા શાહે મૂક-બધિર બાળકો માટે ઘણું કામ કર્યું છે તો સાથે વાલીઓ માટે પણ માર્ગદર્શક તરીકે અલગ કેડી કંડારી છે. વીસ કરતાં વધુ વર્ષથી એ ભાવનગર શહેરની કે.એલ. શાહ બહેરા મૂંગા શાળા સાથે સંકળાયેલાં છે.
ડૉ. કવિતા શાહ પ્રિયદર્શિનીને કહે છેઃ ‘અંધત્વ, મંદબુદ્ધિ કે હલનચલનની ખામીની વિકલાંગતા જેવી ખામી નજરે ચડે એવી હોય છે, જ્યારે મૂક-બધિરતા કે શ્રવણમંદતા એવી ખામી છે કે જે દેખાતી નથી, પરંતુ કદાચ સૌથી વધુ પીડાજનક છે. આવું બાળક બધું જ જુએ છે, પરંતુ સાંભળી નથી શકતું અને એટલે કશું બોલી પણ શકતું નથી. એક નાનું બાળક કશુંક કહેવા માગતું હોય અને એને શબ્દમાં વ્યક્ત ન કરી શકતું હોય એવી સ્થિતિ આ દિવ્યાંગોની હોય છે
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.