મૂક-બધિર, દિવ્યાંગ બાળકોના શિક્ષક તરીકે સાઈન લૅન્ગ્વેજ શીખવાનો અમારો વર્ગ ચાલતો હતો. પ્રોજેક્ટર દ્વારા સ્ક્રીન પર સાઈન લેંગ્વેજ શીખવવામાં આવતી હતી અને સાથે ઑડિયો દ્વારા પણ એ સંજ્ઞા સ્પષ્ટ કરવામાં આવતી હતી. જો કે દશ્યોની સાથે કશું લખાણ આવતું નહોતું એટલે મુશ્કેલી થતી હતી. તમારી નજર તો સ્ક્રીન પર હોય, પરંતુ સાંભળવામાં બેધ્યાન થયા તો કશું જ સમજાય નહીં. આ વ્યથા મેં અનુભવી ત્યારે થયું કે હું તો સાંભળી–બોલી શકું છું, પણ મૂક-બધિર બાળકોનું શું? એ તો સાંભળી શકતાં નથી એટલે એમના માટે માત્ર સંજ્ઞા જ મહત્ત્વની હોય છે. આ સંજ્ઞા વધુ સ્પષ્ટ કરતું લખાણ પણ મૂક-બધિર બાળકોને મળી જાય તો? આ વ્યથાથી નીપજેલી સંવેદના મારા શિક્ષણ અને મૂક-બધિર બાળકો અને એમના વાલીઓ સાથેના વ્યવહારમાં કેન્દ્ર બની ગઈ...’
દેશમાં લાખો મૂક-બધિર બાળકો છે અને એમને તાલીમ આપનારા સેંકડો શિક્ષકો પણ દેશમાં છે. જો કે ભાવનગરનાં ડૉ. કવિતા શાહ એ બધામાં કંઈક વિશેષ છે. એનું કારણ એ કે એમને આ દિવ્યાંગ બાળકોની વ્યથા તો સતત સંભળાય છે જ, સાથે વાલીઓની અબોલ પીડા પણ એમને કાને પડે છે. કવિતા શાહે મૂક-બધિર બાળકો માટે ઘણું કામ કર્યું છે તો સાથે વાલીઓ માટે પણ માર્ગદર્શક તરીકે અલગ કેડી કંડારી છે. વીસ કરતાં વધુ વર્ષથી એ ભાવનગર શહેરની કે.એલ. શાહ બહેરા મૂંગા શાળા સાથે સંકળાયેલાં છે.
ડૉ. કવિતા શાહ પ્રિયદર્શિનીને કહે છેઃ ‘અંધત્વ, મંદબુદ્ધિ કે હલનચલનની ખામીની વિકલાંગતા જેવી ખામી નજરે ચડે એવી હોય છે, જ્યારે મૂક-બધિરતા કે શ્રવણમંદતા એવી ખામી છે કે જે દેખાતી નથી, પરંતુ કદાચ સૌથી વધુ પીડાજનક છે. આવું બાળક બધું જ જુએ છે, પરંતુ સાંભળી નથી શકતું અને એટલે કશું બોલી પણ શકતું નથી. એક નાનું બાળક કશુંક કહેવા માગતું હોય અને એને શબ્દમાં વ્યક્ત ન કરી શકતું હોય એવી સ્થિતિ આ દિવ્યાંગોની હોય છે
Diese Geschichte stammt aus der February 26, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 26, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
રમત રમાડે રાવણ...
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.