સરકારી હૉસ્પિટલના બેડ પર ટૂંટિયું વાળીને પડેલો એક લાચાર પુરુષ. કાખમાં બે મહિનાનું બાળક અને હાથમાં પતિ માટે જમવાનું લઈને આમથી તેમ આંટા મારતી લાચાર મહિલા. રોજમદારી છોડીને દીકરા પાસે વલોપાત કરતી વૃદ્ધા અને.. આ બધું નિઃસહાય બનીને જોયા કરતી સાત વર્ષની કન્યા. એને ભણવું છે, પરંતુ કોણ ભણાવે? ભણાવવાની વાત તો બાજુએ, એને રાખવાય કોઈ તૈયાર નથી.
આવું નિરાશાજનક દશ્ય મનહરબા વાઘેલા જુએ છે ને એ મનમાં ગાંઠ વાળે છેઃ આવાં બાળકોનો હું સથવારો બનીશ.. અને ખરેખર આ મહિલાએ પોતાનું જીવન એવાં બાળકોને સમર્પિત કર્યું છે, જેમનાં માતા-પિતા ન હોય અથવા બેમાંથી એક જ હોય અથવા બન્ને હોય, પરંતુ બેમાંથી એકને ગંભીર બીમારી હોય. આવાં બાળકોને મનહરબા શોધીને પોતાને ત્યાં રાખે છે. ભણાવી-ગણાવી એમને પગભર બનાવે છે.
ગાંધીનગર જિલ્લાના દોલારાણા વાસણા ગામમાં બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાનાં મનહરબા. પિતા ફતેસિંહ રાઠોડ પોલીસકર્મી. માતા કેસરબાને અક્ષરજ્ઞાન નહીં, પણ એ સતત એ વાતનું ધ્યાન રાખે કે સંતાનો નિયમિત શાળાએ જાય, ખૂબ ભણે.
જે સમયે રજપૂતસમાજમાં બાળવિવાહ થતા, પુત્રવધૂ સતત ઘૂંઘટમાં રહેતી એ સમયે મનહરબા અભ્યાસ કરતાં. દીકરીઓને ગામબહારની શાળામાં જવાની અનુમતિ નહોતી ત્યારે મનહરબા હૉસ્ટેલમાં રહી ભણીને પગભર થવાનાં સપનાં જોતાં, પરંતુ કરમની કઠણાઈ કે મનહરબા દસમા ધોરણમાં હતાં ત્યારે પિતાનું અવસાન થયું. ભણી-ગણીને આર્મીમાં જોડાઈ, પિતાની જેમ દેશસેવા કરવાનું સપનું માત્ર સપનું જ બની રહ્યું. પિતાની ઓચિંતી વિદાયે મનહરબાને અંદરથી તોડી નાખ્યાં, છતાં ભણવું તો છે જ એવા નિર્ધાર સાથે એમણે એસએસસી પાસ કર્યું. હવે આગળ અભ્યાસ કેવી રીતે કરવો? ભણવાનો ખર્ચ ભાઈ-બહેન પર કેવી રીતે નાખવો? એવાં મનોમંથનમાં અટવાયેલાં મનહરબા પોતાના ગુરુ ભગવાનશ્રી પાસે ગયાં. ગુરુએ આશીર્વાદ રૂપે એક પરબીડિયું આપ્યું.
એક બાળકી તો સચવાઈ ગઈ, પણ.. બસ, એમાંથી વિચાર આવ્યો ને બચ્ચાંવને અભ્યાસ કરાવવાનું આદર્યું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.