Denemek ALTIN - Özgür
ન્યુ ઈન્ડિયાનો આ છે નવો લાલ કિલ્લો!
Chitralekha Gujarati
|August 21, 2023
આઝાદી મળી ત્યારથી દર સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન જે સ્થળેથી રાષ્ટ્રજોગું પ્રવચન કરે છે એ લાલ કિલ્લો અત્યાધુનિક એઆર ટેક્નોલૉજી આધારિત સાઉન્ડ ઍન્ડ લાઈટ શો તથા ઈન્ટરઍક્ટિવ ગૅલરીના પ્રદર્શન સાથે ખરા અર્થમાં ‘જોવાલાયક’ બન્યો છે.

૧૫ ઓગસ્ટ આવી ગઈ છે. સ્વાતંત્ર્ય દિવસની આ સવારે દેશઆખાનું ધ્યાન એક જ જગ્યા પર હોય છેઃ દિલ્હીનો લાલ કિલ્લો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લાના લાહોરી ગેટ પરથી તિરંગો ફરકાવ્યો ત્યારથી લઈને આજ સુધી આ ઐતિહાસિક દિવસે, આ ઐતિહાસિક સ્થળે વડા પ્રધાન તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રજોગ સંબોધન કરે છે.
જો કે સ્વતંત્ર ભારતનાં સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહેલા આ લાલ કિલ્લાનું મહત્ત્વ ફક્ત આટલું જ નથી. પાંચમા મુગલ સમ્રાટ શાહજહાંએ સત્તરમી સદીમાં, ઈસવી સન ૧૬૩૮માં પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી અને ૧૬૩૯માં લાલ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું એ પછીથી એ મુગલ શાસન અને મુગલ સ્થાપત્યનું પ્રતીક બની રહ્યો, પણ બ્રિટિશરાજમાંથી આપણી મુક્તિ પછી ઈતિહાસ-સ્થાપત્યના સંશોધકો-વિદ્વાનોની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ એ કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દિલ્હીમાં કોઈ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું ન જ બને.
લાહોરી, મોરી, અજમેરી, તુર્કમાન, કશ્મીરી જેવા ગેટ (દરવાજા) ઉપરાંત દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, તશીબખાના અને બક્ષબાગ જેવાં લાલ કિલ્લાનાં પરંપરાગત આકર્ષણોમાં હવે ઉમેરો થયો છે રેડ ફોર્ટ સેન્ટર અને જયહિંદ સાઉન્ડ-લાઈટ શોનો.
ગયા જુલાઈમાં રેડ ફોર્ટ સેન્ટર અને આ વર્ષની શરૂઆતમાં સાઉન્ડ-લાઈટ શોનું ઉદ્ઘાટન થયા પછી આ પ્રાચીન વિરાસતે જાણે નવાં રંગ-રૂપ ધારણ કર્યાં છે.
વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકારે હેરિટેજ સ્થાપત્યોની જાળવણી-સંવર્ધન માટે પ્રવાસન મંત્રાલય અને આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) સાથે મોન્યુમેન્ટ મિત્ર એવી યોજના બહાર પાડી ત્યારે દિલ્હીસ્થિત જાણીતા ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને લાલ કિલ્લાની જાળવણી-સંવર્ધનનું કામ મળેલું. એ વખતે નરેન્દ્ર મોદી સરકાર હવે દેશની કીમતી ધરોહર ખાનગી ઉદ્યોગોને વેચી રહી છે એ મતલબનો બહુ મોટો વિવાદ પણ થયેલો.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 21, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size