ગોહિલવાડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રની ભૂમિમાં શિક્ષણ-જ્ઞાનની એવી તાસીર છે કે જે આ પ્રદેશને બીજા પ્રાંત કરતાં અલગ-વિશેષ બનાવે છે. જ્યારે ભાવનગર રાજ્ય પણ ન હતું ત્યારે આ ભૂમિમાં વલભી વિદ્યાપીઠ હજારો જ્ઞાન પિપાસુઓની જ્ઞાનતૃષા સંતોષતી હતી. આ શિક્ષણની જ્યોત હજુ પણ સતત ઝળહળતી રહી છે. ગિજુભાઈ બધેકાની દક્ષિણામૂર્તિ હોય, દર્શકની લોકભારતી હોય કે પછી જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ હોય, જ્ઞાનપરંપરાને આ બધાં જ નિભાવી રહ્યાં છે.
બે જૈન મુનિઓના વિચારબીજમાંથી જન્મેલું ગુરુકુળ આજે શતાબ્દીને આરે આવીને ઊભું છે.
એમાં આજે વાત ભાવનગર જિલ્લાના સોનગઢમાં આવેલા મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમની, જે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આશ્રમ પરંપરાને છેલ્લાં ૧૦૦ વર્ષથી જાળવીને બેઠો છે. ૧૯૨૯થી શરૂ થયેલો આ રત્નાશ્રમ સાતત્યપૂર્ણ રીતે પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. આ જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ આજે ૪૫૫ બાળકોને પરંપરાગત શિક્ષણ અને જીવનમૂલ્ય જ્ઞાન આપે છે. ૧૯૩૦માં ૧૩ વિદ્યાર્થીઓને અહીં નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો અને ૨૦૨૩માં નવા પ્રવેશ સાથે સંખ્યા પાંચસોની ઉપર પહોંચશે, છતાં પણ નિઃશુલ્ક પ્રવેશનો આ ક્રમ જળવાયેલો રહ્યો છે.
ભારતભરના જૈન ધર્મના મુનિઓ ધર્મપરંપરા અને અધ્યાત્મના પ્રચાર-પ્રસાર માટે પગપાળા ગામેગામ વિહાર કરતા હોય છે. જૈન મુનિરાજો તો પ્રવચન, મહોત્સવો ને ક્રિયાકર્મ જ કરે તેવી માન્યતા મહાત્મા ગાંધીને પણ હતી, પરંતુ ખાદીધારી મુનિરાજો આશ્રમ ચલાવી સમાજસેવા કરે તેનું અચરજ ગાંધીજીને પણ એક સદી પહેલાં થયું હતું તેથી જ એ અચરજને ખાળવા મહાત્મા ગાંધીએ જે આશ્રમની મુલાકાત લીધી હતી એ આશ્રમને આજે એકસો વર્ષ થઈ રહ્યાં છે. કચ્છના જૈન મુનિ કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબે ભારતીય સંસ્કૃતિને ઓપાવે તેવા આશ્રમનું સપનું સેવ્યું અને તે આજે પણ એ જ પરંપરાથી ચાલે છે.
આશ્રમના વિદ્યાર્થીઓ સાથે મુનિ કલ્યાણચંદ્રજી મહારાજ. એમના નામની જૂની ચાલી તથા મહારાજની સમાધિ પણ આશ્રમમાં છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?