कोशिश गोल्ड - मुक्त

એક સદીથી ઋષિ પરંપરાને સાચવી બેઠો છે આ આશ્રમ

Chitralekha Gujarati

|

May 01, 2023

અહીં બાળકને માત્ર શાળાનું શિક્ષણ નહીં, પણ જીવનમૂલ્યોનું ભણતર આપવામાં આવે છે. એ પણ પાઈપૈસો લીધા વગર. ભાવનગર જિલ્લાના સોનગઢસ્થિત શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ ખરા અર્થમાં કાચા હીરારૂપ બાળકને રત્ન બનાવવાનું કામ કરી રહ્યો છે.

- સુનીલ માંકડ, જયેશ દવે (સોનગઢ-ભાવનગર)

એક સદીથી ઋષિ પરંપરાને સાચવી બેઠો છે આ આશ્રમ

ગોહિલવાડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રની ભૂમિમાં શિક્ષણ-જ્ઞાનની એવી તાસીર છે કે જે આ પ્રદેશને બીજા પ્રાંત કરતાં અલગ-વિશેષ બનાવે છે. જ્યારે ભાવનગર રાજ્ય પણ ન હતું ત્યારે આ ભૂમિમાં વલભી વિદ્યાપીઠ હજારો જ્ઞાન પિપાસુઓની જ્ઞાનતૃષા સંતોષતી હતી. આ શિક્ષણની જ્યોત હજુ પણ સતત ઝળહળતી રહી છે. ગિજુભાઈ બધેકાની દક્ષિણામૂર્તિ હોય, દર્શકની લોકભારતી હોય કે પછી જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ હોય, જ્ઞાનપરંપરાને આ બધાં જ નિભાવી રહ્યાં છે.

બે જૈન મુનિઓના વિચારબીજમાંથી જન્મેલું ગુરુકુળ આજે શતાબ્દીને આરે આવીને ઊભું છે.

એમાં આજે વાત ભાવનગર જિલ્લાના સોનગઢમાં આવેલા મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમની, જે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આશ્રમ પરંપરાને છેલ્લાં ૧૦૦ વર્ષથી જાળવીને બેઠો છે. ૧૯૨૯થી શરૂ થયેલો આ રત્નાશ્રમ સાતત્યપૂર્ણ રીતે પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. આ જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ આજે ૪૫૫ બાળકોને પરંપરાગત શિક્ષણ અને જીવનમૂલ્ય જ્ઞાન આપે છે. ૧૯૩૦માં ૧૩ વિદ્યાર્થીઓને અહીં નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો અને ૨૦૨૩માં નવા પ્રવેશ સાથે સંખ્યા પાંચસોની ઉપર પહોંચશે, છતાં પણ નિઃશુલ્ક પ્રવેશનો આ ક્રમ જળવાયેલો રહ્યો છે.

ભારતભરના જૈન ધર્મના મુનિઓ ધર્મપરંપરા અને અધ્યાત્મના પ્રચાર-પ્રસાર માટે પગપાળા ગામેગામ વિહાર કરતા હોય છે. જૈન મુનિરાજો તો પ્રવચન, મહોત્સવો ને ક્રિયાકર્મ જ કરે તેવી માન્યતા મહાત્મા ગાંધીને પણ હતી, પરંતુ ખાદીધારી મુનિરાજો આશ્રમ ચલાવી સમાજસેવા કરે તેનું અચરજ ગાંધીજીને પણ એક સદી પહેલાં થયું હતું તેથી જ એ અચરજને ખાળવા મહાત્મા ગાંધીએ જે આશ્રમની મુલાકાત લીધી હતી એ આશ્રમને આજે એકસો વર્ષ થઈ રહ્યાં છે. કચ્છના જૈન મુનિ કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબે ભારતીય સંસ્કૃતિને ઓપાવે તેવા આશ્રમનું સપનું સેવ્યું અને તે આજે પણ એ જ પરંપરાથી ચાલે છે.

આશ્રમના વિદ્યાર્થીઓ સાથે મુનિ કલ્યાણચંદ્રજી મહારાજ. એમના નામની જૂની ચાલી તથા મહારાજની સમાધિ પણ આશ્રમમાં છે.

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size