Denemek ALTIN - Özgür
પ્રેરણાનો, સેવા-સમર્પણનો મહોત્સવ..
Chitralekha Gujarati
|November 21, 2022
છેલ્લાં થોડાં વર્ષથી દેશ-વિદેશમાં ઊજવાઈ રહેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬) શતાબ્દી ઉત્સવનો ચરમ અમદાવાદમાં આવી રહ્યો છે ત્યારે લઈએ એક ઝલક મહોત્સવની તથા ખાસ આ મહાઉત્સવ માટે નિર્માયેલા વિશાળ નગરની.

ભારતના મહાન સંતોની યાદ અપાવતું પ્રમુખસ્વામી નગરનું મુખ્ય પ્રવેશદ્વાર.
ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં જન્મીને ગુજરાતને કર્મભૂમિ બનાવનારા ભગવાન સ્વામિનારાયણની ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ તથા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે ૧૮ વર્ષની વયે દીક્ષા લીધી અને સેવા-સાધુતા-લોકકલ્યાણની ભાવનાથી કરેલાં વિરાટ કાર્યો માટે દેશ-દુનિયામાં સુખ્યાત થયા. ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ વડોદરા નજીક ચાણસદ ગામે જન્મેલા પ્રમુખસ્વામીનું ૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ૯૫ વર્ષની વયે બોટાદ જિલ્લામાં બીએપીએસ સારંગપુર મંદિરમાં ધામગમન થયું. ત્યાર બાદ એમના જન્મદિવસ શતાબ્દી મહોત્સવ તરીકે ઊજવાયા.
હવે આ શતાબ્દી મહોત્સવનો ચરમ આવી રહ્યો છે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ. આ દિવસે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના પાંચ ત્મિક ઉત્તરાધિકારી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે.
તાજેતરમાં ચિત્રલેખાના પ્રતિનિધિએ અમદાવાદના પશ્ચિમ છેડે ઓગણજ સર્કલ નજીક, સરદાર પટેલ રિંગ રોડના કિનારે આવેલા મહોત્સવસ્થળની મુલાકાત લીધી ત્યારે ૬૦૦ એકર ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરના સર્જનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. નગરનાં સાત પ્રવેશદ્વારમાં મુખ્ય છેઃ એસપી રિંગ રોડ પરથી આકર્ષતું, ૨૮૦ ફૂટ પહોળું અને ૫૧ ફૂટ ઊંચું નયનરમ્ય સંત દ્વાર. અહીંથી નગરપ્રવેશ કરતાં જ ૩૦ ફુટ પ્રમુખસ્વામીની દિવ્ય સ્વર્ણિમ પ્રતિમાનાં દર્શન થશે. આ પ્રતિમાની ખાસિયત એ છે કે પ્રતિમાની ફરતે પૂજ્ય પ્રમુખસ્વામીનાં જીવન અને કાર્યોને આવરી લેતી એક ઝાંખી થશે. સ્વામીશ્રીનું એક કાર્ય એટલે દેશ-દુનિયામાં ૧૧૦૦ જેટલાં મંદિરોનાં સર્જન કરી ભારતીય સંસ્કૃતિનો સંદેશ ખૂણે ખૂણે પહોંચાડ્યો. એ તમામ મંદિરોના પ્રતીક સમી નગરમાં સર્જાયેલી દિલ્હી અક્ષરધામની ૬૭ ઊંચી હૂબહૂ પ્રતિકૃતિ ધ્યાનાકર્ષિત છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 21, 2022 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size