Denemek ALTIN - Özgür
ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું : ૨૧મી જુલાઈએ દિવસ દરમિયાન શું બન્યું?
ABHIYAAN
|Abhiyaan Magazine 02/08/2025
અત્યારે દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં નવા ઉપરાષ્ટ્રપતિ માટે અનેક નામો વહેતાં મૂકાય છે અને ચર્ચામાં છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પરિચિત લોકો જાણે છે કે જે નામો વહેતાં થાય છે તેમાંના કોઈને ઉપરાષ્ટ્રપતિ બનાવાશે નહીં
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી ૨૧મી જુલાઈની રાત્રે અચાનક રાજીનામું આપીને કેન્દ્રની એનડીએ સરકાર અને વિપક્ષ સહિત સૌને ચોંકાવી દીધા. ૨૧મી જુલાઈનો સાંજનો ઘટનાક્રમ એટલો ઝડપી અને આકસ્મિક હતો કે તાત્કાલિક તેના વિશે કોઈ કશું બોલી શક્યું નહીં. ધનખડ ઍપૉઇન્ટમૅન્ટ લીધા વિના જ રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા હતા અને રાજીનામાનો પત્ર સુપરત કર્યો હતો. રાજીનામાના પત્રમાં તેમણે તેઓ તેમના સ્વાસ્થ્યને અગ્રતા આપવા ઇચ્છતા હોવાથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો અને રાજીનામું આગળની કાર્યવાહી માટે ગૃહમંત્રાલયને મોકલી આપ્યું હતું. એ પછી જગદીપ ધનખડે એક્સ પર તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. આ ઘટનાક્રમના પંદર કલાક પછી બીજા દિવસે ૨૨મી જુલાઈની બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ત્રણ લાઇનમાં એક્સ પર સંદેશ મૂક્યો. તેમણે લખ્યું, શ્રી જગદીપ ધનખડજીએ ભારતના ઉપરાષ્ટ્રપતિપદ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમને ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. આમ, ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામામાં પંદર કલાક પછી સરકારમાંથી પહેલું રિએક્શન આવ્યું. તેનું અર્થઘટન જ એવું થાય છે કે મામલો ધારવામાં આવે છે એટલો આસાન નથી. અંદરખાને કોઈ ગરબડ નિશ્ચિત હોવાનો સંકેત છે.
બીજા દિવસે પણ સરકારના તમામ પ્રધાનો સહિત બધા લોકો મૌન રહ્યા હતા. અમિત શાહ, રાજનાથસિંહ, જે.પી. નડ્ડા, નિર્મલા સીતારામન સહિતના તમામ વરિષ્ઠ પ્રધાનો મૌન રહ્યા. સોશિયલ મીડિયાથી લઈને પ્રત્યક્ષ રીતે પણ કોઈએ કશું રિએક્શન આપ્યું નહીં. એકમાત્ર રિકિશન જેવા ત્રીજી હરોળના નેતાએ બાઇટ આપતા એવું કહ્યું હતું કે કોઈના સ્વાસ્થ્ય અંગે વિરોધ પક્ષોએ રાજનીતિ કરવી જોઈએ નહીં.
જોકે રાજનીતિના જાણકાર પંડિતો માને છે કે સરકારના ટોચના નેતાઓના મૌનમાં જ રાજીનામાનો શોર છુપાયેલો છે. જો ધનખડનું રાજીનામું સામાન્ય સંજોગોમાં હોત તો તેમને માટે એક સારો વિદાય સંદેશ આવ્યો હોત. રાજ્યસભામાં તેઓ તેમનું વિદાય પ્રવચન પણ આપી શક્યા હોત. એવું કશું જ બન્યું નહીં.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 02/08/2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size
