સંસ્કૃત શબ્દ મૌક્તિક પરથી ગુજરાતી શબ્દ મોતી આવ્યો છે. સાચા મોતી એટલે સાગરમાં પાકતાં મોતી ખૂબ જ મોંઘાં હોય છે, પરંતુ ભરતકામમાં વિશિષ્ટ રીતે વપરાયેલાં કાચનાં, પથ્થરનાં કે કચકડાનાં મોતી સાચાં મોતીથી પણ વિશેષ લાગે છે. ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની નારીઓએ મોતીનો વિવિધ રીતે ઉપયોગ કર્યો છે. હજારો વર્ષ પહેલાંથી આ વિસ્તારમાં મોતીકામ અને મોતીભરત થતું હોવાનું મનાય છે. એક જમાનામાં દીકરીને જે દાયજો(આણું) આપવાનો થતો તેમાં તેણે પોતે ભરેલી મોતીની વિવિધ વસ્તુઓનો સમાવેશ ફરજિયાત થતો. આજે પણ અમુક જ્ઞાતિમાં આ પ્રથા બહુ ઓછા પ્રમાણમાં ચાલુ છે. જોકે આ કલાની ઉપયોગિતા હવે તદ્દન ઘટી હોવાથી કલા ધીમે-ધીમે વિસ્તૃત થઈ રહી છે. નવી પેઢીની યુવતીઓને આ કામમાં રસ રહ્યો નથી. જો તેમાંથી લોકોને અર્થોપાર્જન થઈ શકે તો તે જીવંત રહી શકવાની આશા છે.
આ કલા નામશેષ થાય, અદૃશ્ય થઈને સાવ જ અપ્રાપ્ય બને તે પહેલાં તેની જાહોજલાલી સાચવી રાખવા, લોકોને તેની બહુઆયામી કલાસૃષ્ટિ નો પરિચય કરાવવા માટે સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રો. નિસર્ગ આહીર લિખિત પુસ્તક ‘મોતીભરતઃ સૌરાષ્ટ્રકચ્છનો વિસ્તૃત વારસો'નું પ્રકાશન કરાયું છે. આ પુસ્તકમાં લેખકે મોતીભરત અંગેનાં તમામ પાસાંઓને આવરી લીધા છે. કલા અને લોકકલા એટલે શું, તેની વિવિધતા, ભરતગૂંથણની વિસ્તૃત સમજ, મોતીકામની પરંપરાને તો પુસ્તકમાં આવરી જ લેવાયા છે, સાથે-સાથે તેમાં લોકસાહિત્યમાં મોતીને જે સ્થાન મળ્યું છે, તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી છે.
મોતીભરતની કલા વિશે વાત કરતાં પ્રો.આહીર કહે છે, ‘મોતીભરત માત્ર કસબ નથી, એ છે લોકચેતનાનું સંઘટિત થયેલું રૂપ, મોતી મૂર્તિમંત ભાવ છે. મોતીભરતમાં શુભત્વ, માંગલ્ય, શણગાર અને સજાવટ નિમિત્તે જીવનદાયિની ઊર્જાને વણી લેવામાં આવી છે. વૈશ્વિકીકરણ, ટૅક્નોલોજીનો વ્યાપ, ભૌતિકતાનો પ્રભાવ અને બજારવાદના કારણે પરંપરા હ્રાસ પામી રહી છે. છતાં અમુક શોખીનો કે કલાપ્રેમીઓએ તેને સાચવી રાખ્યું છે. કાઠી દરબાર, રાજપૂત, કારડિયા રાજપૂત, આહીર, મેઘવાળ મારવાડા જેવી જાતિઓએ પોતાની જૂની કલાને સાચવી છે.’
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન
વાયરલ પેજ
દુઃખના દવમાં પાંચ પગલાં
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા