ફોટોગ્રાફી એ આંખ, મગજ અને હૃદયનું કામ છે. સાધન મહત્ત્વનું છે, પણ તેનું સ્થાન ગૌણ છે. શ્રેષ્ઠ સાધન હોય, પણ નકામું ચિત્ર મળે અને જરીપુરાણા સાધન વડે પણ તમે મગજની એકાગ્રતા અને હૃદયના રસથી સામાન્ય વિષયને તમે સૌંદર્યાકૃતિ બનાવી શકો.’ - આ શબ્દો પ્રસિદ્ધ તસવીરકાર સ્વ. પ્રાણલાલ પટેલના છે. પ્રાણલાલ પટેલને ફોટોગ્રાફર નહીં, પણ ફોટોગ્રાફીનો સમસ્ત યુગ કહી શકાય. પોતાના ૧૦૫ વર્ષના દીર્ઘ જીવનકાળમાંથી ૮૫ વર્ષ છબીકલાને અર્પણ કરનાર આ વિભૂતિ ઘણા જાણીતા ફોટોગ્રાફર્સનો આદર્શ રહ્યા છે.
ભારતમાં ફોટોગ્રાફીનું આગમન આજથી ૧૬૯ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૫૫માં થયું અને પ્રાણલાલ પટેલે ઈ.સ. ૧૯૩૨માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેથી કહી શકાય કે તેમની તસવીરોનું કલાકીય મહત્ત્વ ઉપરાંત ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
વર્ષ ૧૯૧૦માં ગુજરાતના જામનગર જિલ્લાના કેશિયા ગામમાં તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેઓ તેમના મામા સાથે અમદાવાદ આવી ગયા. મોસાળમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. તેઓ જીવનપર્યંત અમદાવાદમાં જ રહ્યા. બાળપણમાં તેમણે દુકાનોમાં પાણી ભરવા, છાપાં વહેંચવા જેવા અનેક કામ કર્યા. નાના-મોટા કામકાજથી આવક ઊભી કરીને તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરીને શિક્ષક તરીકે જોડાયા. આ રસમાં જ તેમની કલા રુચિ સંગીત તરફ ઢળી. આ દરમિયાન જ પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળની ચિત્રશાળામાં જોડાયા. લાઇફ સ્કેચ, સ્ટીલ લાઇફ, નેચર ડ્રોઇંગ વગેરે ખૂબ રસપૂર્વક શીખ્યા. તેમનાં ચિત્રો જોઈને લાગે કે જો તેમણે ફોટોગ્રાફી અપનાવી ન હોય તો જરૂર એક સારા ચિત્રકાર બની શક્યા હોત, પરંતુ નિયતિએ કોઈ અલગ જ રાહ નક્કી કરી હશે કે તેમનો પરિચય બળવંત ભટ્ટ અને બચુભાઈ રાવત સાથે થયો. તેમના સહવાસ અને માર્ગદર્શનથી પ્રાણલાલ પટેલ માટે ફોટોગ્રાફીનું એક અનોખું ફલક ખૂલી ગયું. એ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. બંધનરૂપ બનતી નોકરીને તેમણે તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફી કરવા માટે કાશ્મીરના પ્રવાસે નીકળી ગયા.
શરૂઆતના તબક્કામાં તેમણે કોમર્શિયલ, પૉર્ટ્રેઇટ્સ, આઉટડોર અને પ્રેસ ફોટોગ્રાફી કરી. આર્થિક રીતે મજબૂત થતાં તેમણે પિક્ટોરિયલ ફોટોગ્રાફી પર હાથ અજમાવ્યો.જેમાં તેમને અપૂર્વ પ્રશસ્તિ મળી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?