સિક્સર કિંગ સલીમદુરાની, ક્રિકેટપ્રેમીઓ જેમની પાછળ પાગલ હતા
ABHIYAAN|April 15, 2023
જેમની મેચ જીતાડી અપાવતી બૉલિંગ અને છગ્ગા ફટકારવાની કુશળતા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં દંતકથા સમાન હતી એ સલીમ દુરાનીએ ૨ એપ્રિલ રવિવારે તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને ૮૮ વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. તેમના સોહામણા દેખાવે ૬૦-૭૦ના દાયકામાં રમતમાં સ્ટાઇલ અને રોમાન્સનો કેફ ઉમેર્યો હતો. ચાલો, ક્રિકેટના સુવર્ણકાળના આ સુપરસ્ટારને યાદ કરીએ.
સિક્સર કિંગ સલીમદુરાની, ક્રિકેટપ્રેમીઓ જેમની પાછળ પાગલ હતા

વર્તમાન સમયના યુવા ક્રિકેટપ્રેમીઓને કદાચ જાણીને નવાઈ પણ લાગે કે ઑલરાઉન્ડર સલીમ દુરાનીની ૧૩ વર્ષ (૧૯૬૦૭૩)ની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આ મુજબ હતીઃ ૨૯ ટેસ્ટ, ૧૨૦૪ રન (સરેરાશ : ૨૫) અને ૭૫ વિકેટ (સરેરાશ : ૩૫). આમ છતાં દુરાની ભારતના ક્રિકેટ ઇતિહાસમાં અમીટ છાપ છોડી ગયા છે.

૧૯૬૧-૬૨માં ડાબોડી સ્પિનર દુરાનીએ મદ્રાસમાં ૧૦ વિકેટ ઝડપી, ઇંગ્લેન્ડ સામે ભારતને ૨-૦થી વિજય અપાવ્યો હતો. એ જમાનામાં આખી શ્રેણી જીતવી એ લોઢાના ચણા ચાવવા જેવી કઠિન વાત હતી. ૧૯૬૧૬૨ અને ૧૯૭૦-૭૧માં તેમણે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડ્યો હતો. ૧૯૬૧-૬૨માં પૉર્ટ ઑફ સ્પેન ખાતે ચોથી ટેસ્ટમાં દુરાનીએ શાનદાર સદી ફટકારી, ૧૦૪ રન નોંધાવ્યા હતા અને શ્રેણીમાં ૧૭ વિકેટો ઝડપી હતી. એ સમયે સલીમ દુરાની મુગલ-એ-આઝમના રાજકુમાર સલીમની માફક લોકોના દિલોની ધડકન બની ગયા.

૧૯૭૧માં આ ડાબોડી સ્પિનરે કેપ્ટન અજિત વાડેકરને મેચની આગલી રાતે વચન આપ્યું હતું કે તે ગેરી સોબર્સ અને ક્લાઇવ લોઇડના દાંડિયા ઉડાવી દેશે. એ રીતે દુરાનીએ પોર્ટ ઓફ સ્પેનમાં વિન્ડીઝ સામે ભારતની પ્રથમ જીત મેળવી બતાવી હતી.

આજે આઈપીએલની એક જ મેચમાં ૧૫ સિક્સર ફટકારવી એ કોઈ નવાઈની વાત રહી નથી ત્યારે આખી ટેસ્ટ કારકિર્દીમાં માત્ર ૧૫ સિક્સર મારનાર વ્યક્તિની કુશળતાને પડકારવી સરળ છે. અલબત્ત એ જમાનો જુદા પ્રકારની બલ્લેબાજી અને માનસિકતાનો હતો. તે પેઢીના કોઈ પણ ભારતીય ક્રિકેટરની મેચ દીઠ સરેરાશ સારી નથી, બે ટેસ્ટ રમ્યા હોય ત્યારે માંડ એક છગ્ગો ફટકાર્યો હોય! ‘કહેવાય છે કે બૉલને હવામાં ફટકારવો ખતરનાક છે. હું કહું છું કે જીવન જ ખતરનાક છે.’ દુરાનીએ ૧૯૭૯માં ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’માં કટાક્ષ કર્યો હતો.

એ જમાનામાં ચાહકોનાં ટોળાં ‘વી વૉન્ટ સિક્સર..'ના સૂત્રોચ્ચાર કરતાં અને દુરાનીનું બેટ છગ્ગો ફટકારવા હવામાં વીંઝાતું. એ રીતે પ્રેમીઓની માંગ પર સિક્સર મારનાર તરીકે તેમને ઓળખ મળી હતી. ૧૯૭૯ના એક લેખમાં દુરાનીએ ધ્યાન દોર્યું કે આવું ન હતું. ‘લોકોની માંગ ઉપર મારા છગ્ગા ફટકારવા વિશેની આ માન્યતા અંગે મારે ચોખવટ કરવી જોઈએ. બન્યું એવું કે મેં ૧૯૭૨-૭૩ની સિરીઝમાં ફટકારેલા બે છગ્ગા લોકોની માંગને અનુરૂપ હતા.’

This story is from the April 15, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 15, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024