મધ્ય ગુજરાતમાં બેઠકો પ્રમાણે મુદ્દાઓ ચાલશે?
ABHIYAAN|October 22, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેમ શહેર વિસ્તારોની બેઠકો મહત્ત્વ ધરાવે છે એ રીતે મધ્ય ગુજરાતની બેઠકો પણ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે નિર્ણાયક બની રહેશે. વળી, આ વખતે ત્રીજો પક્ષ પણ પ્રવેશ્યો હોવાથી ભાજપ-કોંગ્રેસ બન્ને પોતપોતાની બેઠકો કઈ રીતે સાચવશે એ જોવું રસપ્રદ બની રહેશે.
દિલીપ ગોહિલ
મધ્ય ગુજરાતમાં બેઠકો પ્રમાણે મુદ્દાઓ ચાલશે?

૧૯૯૦થી ગુજરાતમાં ભાજપના ઉદયની શરૂઆત થઈ ગઈ હતી. સમગ્ર ગુજરાતમાં ૨૬.૭ ટકા મતો સાથે ૬૭ બેઠકો મળી હતી. ૧૯૯૫માં સીધા જ ૪૨.૫ ટકા મતો અને ૧૨૧ બેઠકો મળી ગઈ હતી. ૧૯૯૮માં ફરીથી ચૂંટણી આવી ત્યારે રાજપાને કારણે ૪ બેઠકો ઘટી હતી, પરંતુ મતો વધીને ૪૪.૮ ટકા થયા હતા. તે પછી આવ્યું ૨૦૦૨નું વર્ષ અને ભાજપના મતોની ટકાવારી ૪૯.૮ ટકા થઈ ગઈ.

અડધોઅડધ મતદારોનું સમર્થન મેળવી શકનાર પક્ષ લાંબો સમય મજબૂત રહે તે સમજી શકાય તેવી વાત છે.

ગુજરાતમાં સમગ્ર રીતે ભાજપ અને કોંગ્રેસની સ્પર્ધાની આપણે ચર્ચા કરતા રહીએ છીએ, પણ દરેક ચૂંટણીમાં એક કે બે પ્રદેશોનાં પરિણામો પણ અગત્યનાં બની જતાં હોય છે. એ સંદર્ભમાં આપણે યાદ કરવું પડે કે ૨૦૧૭માં સૌથી વધુ ચર્ચા સૌરાષ્ટ્રની થઈ, કેમ કે કોંગ્રેસને અહીં ૧૫ બેઠકોના ફાયદા સાથે જોરદાર સફળતા મળી હતી.

સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાતો રહ્યો હતો, પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા અને સૌરાષ્ટ્રમાં જ બોટાદ અને માણાવદરથી પાયો નખાયો હતો. રાજકોટમાં તે પાયા પર ઇમારત ચણાવા લાગી હતી અને ધીમે ધીમે બીજા જિલ્લાઓમાં પણ ભાજપ આગળ આવ્યો.

સૌરાષ્ટ્ર માટે ભાજપનો ગઢ એવો શબ્દ વપરાય છે તે રીતે મધ્ય ગુજરાત માટે પણ તે શબ્દ કોંગ્રેસ માટે વપરાતો રહે છે. જોકે સીમાંકન પછી મધ્ય ગુજરાતમાં બેઠકો વધીને ૬૧ થઈ અને અમદાવાદ તથા વડોદરા શહેરી વિસ્તારોની બેઠકો હિન્દુત્વના કારણે ભાજપ માટે સૉલિડ બેઠકો બની પછી સમગ્ર રીતે મધ્ય ગુજરાતનું ચિત્ર બદલાયું.

પરંતુ મધ્ય ગુજરાતમાં પણ ત્રણ પેટા વિભાગો પડી શકે છે. અમદાવાદગાંધીનગરનો પટ્ટો અને તેની સાથે વડોદરાને જોડીએ તો શહેરી બેઠકોનો એક વિશાળ પટ્ટો. ત્યાર બાદ મધ્ય પ્રદેશની સરહદે આવેલી ગોધરા, દાહોદ અને પંચમહાલની આદિવાસી બેઠકો અને ત્રીજો એક વિભાગ એટલે મધ્ય ગુજરાતમાં પણ મધ્ય એવો આણંદ-ખેડાનો પટ્ટો.

ગુજરાતમાં કોંગ્રેસને સૌથી જંગી લીડ અપાવનાર માધવસિંહ સોલંકી અને તેમના પરિવારનો આ ગઢ. તેમના સસરા ઈશ્વરસિંહ ચાવડા, ચાવડાના પૌત્ર અમિત ચાવડા આજે પણ કોંગ્રેસને અહીં સાચવીને બેઠા છે. ભરતસિંહ સોલંકીને પક્ષે હાલમાં નિષ્ક્રિય રાખ્યા છે, પરંતુ બે વખત લોકસભા જીતનારા ભરતસિંહે ૨૦૦૭માં પ્રદેશ પ્રમુખ તરીકે મધ્ય ગુજરાતમાંથી કોંગ્રેસની સાત બેઠકો પરત મેળવી હતી.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024