હે નાગ દેવતા, ‘ખેતરોમાં જ્યાં ત્યાં ભમતાં અમારા છોકરાઓનું તમે રક્ષણ કરજો..' આ શબ્દો છે એક ખેતરને શેઢે આવેલી નાનકડી નાગની દેરી (મંદિર)એ કંકુ-ચોખા અને મીડલા (રૂનો હા૨, નાગલો), ચૂંદડી ચડાવી કુલેર ધરાવતા એક ખેડૂત મહિલાના. દિવસ છે નાગપાંચમનો. તહેવારોનો મહિનો ગણાતા શ્રાવણ માસની વદ પાંચમના દિવસને નાગપાંચમ કહે છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામડાં અને જૂનાગઢથી માંડી જામજોધપુર તેમ જ રાજકોટથી માંડી ઉના સુધીનાં નાનાં-મોટાં શહેરોમાં પણ ઘણાબધા પરિવારો આ દિવસે નાગનું પૂજન કરે છે. જેની પૂજા થાય છે એ સાપને જોતાંવેંત મારી નાખવામાં આવતો હોવાનો વિરોધાભાસ પણ આ પંથકમાં જોવા મળે છે.
સાપ માનવીનો મિત્ર છે. માણસ ક્યારેય સાપની ‘ફૂડચેઇન’માં નથી આવતો. મતલબ માણસ સાપનો ખોરાક નથી. પ્રકૃતિનો આ અદ્ભુત જીવ પશુ-પક્ષી અને માણસ જેવો જ એક જીવ છે. તો પછી તેનાથી ભય શા માટે? આ પ્રશ્નનો જવાબ આપે છે સર્પ નિષ્ણાત ડૉ. પુનિલ ગજ્જર. ત્રણ દશકાથી કોઈ પણ ભયંકર ઝેરી સાપને સરળતાથી પકડી જંગલમાં છોડી આવતા આ સર્પપ્રેમી કહે છે, ‘ચોમાસામાં સાપ નીકળ્યો છે, પકડી જાવ ને.’ એવા બે-ચાર ફોન કૉલ રોજ આવે છે. જોકે એક તરફ લોકો સાપની પૂજા કરે અને આ જ માનવી તેને મારી પણ નાખે છે, આ કેવું? આ પ્રશ્નના ઉત્તરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આ પ્રોફેસર કહે છે કે, ‘માણસને જેમ કરચલો, ગરોળી વગેરેની ચીડ કે ચીતરી ચડતી હોય તેવી જ સ્થિતિ સાપની છે. વર્ષોથી સ્નેઇક હેન્ડલર છું, ક્યારેય આ સરિસૃપે મને દંશ દીધો નથી.’
નાગપાંચમે નાગ તો પૂજાય જ છે અને નાગને પૂજવાની પદ્ધતિઓ પણ અલગઅલગ છે. જુદી-જુદી જ્ઞાતિઓમાં નાગપૂજનનો દિવસ અલગ- અલગ હોય છે. સૌરાષ્ટ્રના લોહાણા પરિવારો અષાઢ વદ પાંચમે નાગની પૂજા કરે છે, તો સૌરાષ્ટ્રના નાગરો અને બ્રાહ્મણો શ્રાવણ વદ પાંચમને નાગપંચમી કહે છે. વળી બીજી કેટલીક જ્ઞાતિઓમાં શ્રાવણ સુદ પાંચમ એટલે આ મહિનાની પહેલી પાંચમે નાગ પૂજા કરે છે. આ તો થઈ નાગપૂજનના દિવસની વાત.
This story is from the August 20, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 20, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?