બ્રિજ પરથી દરિયાદેવનાં દર્શન માટે વૉક-વે અને વ્યૂઈંગ ગૅલરી, વૉક-વે પર બૅટરી સંચાલિત કાર, ભગવદ્ગીતાના શ્લોક કંડારેલા પથ્થર, વચ્ચે વચ્ચે કેટલાક સેલ્ફી પૉઈન્ટ, આખા બ્રિજ પરની ડેકોરેટિવ લાઈટ્સ માટે જરૂરી વીજ ઉત્પન્ન કરવા 300 જેટલી સોલાર પૅનલ્સ...આ છે ગુજરાતનો સૌથી લાંબો કૅબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ.
રાજકોટમાં એઈમ્સ હૉસ્પિટલ અને ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પછી સૌરાષ્ટ્ર ને કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. એ જ છે આ સિબ્નચર બ્રિજ. પાંચ વર્ષ સુધી કામ ચાલ્યા બાદ ઈજનેરી કૌશલ્યના ઉત્તમ નમૂનારૂપ આ બ્રિજ યાત્રાધામ બેટ દ્વારકાને જમીનમાર્ગે ઓખા સાથે જોડશે. બસ, હવે મુહૂર્ત નીકળે એની રાહ જોવાઈ રહી છે. આ મહિને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવવા ની તૈયારી ચાલી રહી છે.
દ્વારકાથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે છે ઓખા. ઓખાના કિનારાથી બેટ દ્વારકા સુધી લોકો વર્ષોથી બોટ મારફત આવનજાવન કરે છે, પરંતુ હવે અહીં દરિયા પર બ્રિજ બન્યો છે. ભારતના બેનમૂન એવા આ સિઝ્નચર બ્રિજની વિશેષતા એ છે કે સવા બે કિલોમીટરથી પણ લાંબા આ ચારમાર્ગીય બ્રિજમાં ૯૦૦ મીટરનો હિસ્સો કૅબલ સ્ટેડ એટલે કે કૅબલથી લટકતો રહેશે. એનો નિર્માણખર્ચ છે આશરે ૯૭૮ કરોડ રૂપિયા.
ટેક્નિકલ ડિટેલ જોઈએ તો, આ બ્રિજ ૨૭ મીટર પહોળો છે. બ્રિજની બન્ને બાજુ લોકો પગપાળા જઈ શકે અને સાથે જ સમુદ્રની સુંદરતા માણી શકે એ માટે અઢી મીટરના બે વૉક-વેને ખાસ પ્રકારની ડિઝાઈનથી તૈયાર કર્યા છે. આ વૉક-વે પર બૅટરી સંચાલિત કાર પણ ચલાવવામાં આવશે. આ વૉક-વે પર ૨૯૮૬ સોલાર પૅનલની છત લગાવવામાં આવી છે, જેનાથી એક મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે. આ બ્રિજની ડેકોરેટિવ લાઈટિંગની વીજળીની જરૂરત પૂરી થતાં જે વીજળી વધશે એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મારફત બેટ દ્વારકાને પૂરી પાડવામાં આવશે.
ગુજરાતના સૌથી લાંબા કૅબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના વૉક-વે સેક્શનની દીવાલ પર ભગવદ્ગીતાના શ્લોક કોતરેલા ૨૩૨ સ્ટોન લગાવવામાં આવ્યા છે. આ સ્ટોન જયપુરમાં ખાસ બનાવાયેલા છે. રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઈટિંગ મૂકવામાં આવતાં બ્રિજ દીપી ઊઠે છે.
この記事は Chitralekha Gujarati の December 18, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の December 18, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.