ભાષા ’ને શબ્દની કરામત માણસને ગમે ત્યાં પહોંચાડી શકે છે
સુખ ’ને દુઃખની માન્યતાના અનુભવમાં બદલાવ આપી શકે છે
પેટ્રિસ રનર બચપણથી ચોર કે ચીટર નહોતો. એંશીના દસકમાં સોળ વર્ષનો પેટ્રિસ સામયિકો ’ને અખબારોમાં આવતી વિવિધ જાહેરાતો જોઈ મંત્રમુગ્ધ થઈ જતો. ઍડવર્ટાઇઝમાં ભાષાના ’ને ખાસ કરીને શબ્દોના વિશિષ્ટ વપરાશથી એ મોહિત થતો. પ્રોડક્ટ્સ ’ને સર્વિસીઝની ઍડ્સમાંથી એના દિમાગમાં કશું ઍડ થતું રહેતું. એક ઍડ એને ખાસ યાદ રહેલી, જેમાં લખેલું, ‘હું જાણતો હોઉં એવા સૌથી ચતુર માણસે જે કહેલું તે હું ભૂલ્યો નથી - મોટા ભાગના લોકો પૈસા કમાવા માટે આજીવિકા મેળવવામાં ખૂબ વ્યસ્ત છે.’ જો કાર્બો લેખકે લખેલી એ જાહેરાતનું ૧૯૭૩માં ઉત્તર અમેરિકાનાં બધાં અખબારોમાં દેખાવાનું શરૂ થયું. તેમણે દાવો કરેલો કે તેઓ એ ગજબનું રહસ્ય જેમની પાસે શિક્ષણ, મૂડી, નસીબ, પ્રતિભા, યુવાની કે અનુભવ નથી તેમની સાથે શેઅર કરે છે. તેમણે લોકોને દસ ડૉલર પોતાને પોસ્ટમાં મોકલવા હાકલ કરેલી જેના જવાબમાં તે એમને એ રહસ્ય શેઅર કરતી પુસ્તિકા મોકલશે. બુકલેટનું નામ હતું - આળસુ માણસ માટે ધન મેળવવાનો માર્ગ. એ ચોપડીની લગભગ ૩ મિલિયન નકલો એ રીતે વેચાઈ. પેટ્રિસ રનરના મસ્તિષ્કમાં એક નિર્ણયની ગાંઠ વાગી ગઈ કે એ ભાષા તેમ જ શબ્દો ખાસ રીતે વાપરી લોકો પાસેથી કરોડો કમાવાનો કીમિયો કરશે.
હવે પેટ્રિસ અર્ધી સદી પાર કરી એ સાથે કેટલાંય લોકોની આશા ’ને વિશ્વાસની રોકડી ગજવામાં ઘાલી ’ને અંતે પકડાઈ ગયો. ત્યાં સુધીમાં એ કેટલાંય લોકોને ડાયરેક્ટ મેલ વડે સેલ્ફ-હેલ્પ ગાઇડ 'ને મુખ્યત્વે મારિયા દુવાલ નામની સાયકિક તરીકે સર્વિસ વેચી ચૂક્યો હતો. સાયકિક અર્થાત્ સમજો કે ભૂત સાથે સંવાદ કરનાર ચમત્કારિક ગૂઢશક્તિ ધરાવનાર તેમ જ ભવિષ્યવેતા. ભાષા 'ને શબ્દોની કરામતનો ભારે દુરુપયોગ કરી એણે લોકોને હકીકતમાં સાચી સેલ્ફ-હેલ્પ ’ને સર્વિસ આપી નહોતી. તેણે લોકો સાથે છેતરપિંડી કરી. મેક્સિકન નામ મારિયા દુવાલ વાપરી વિશેષ તો ગોરાઓને આકર્ષ્યા.
この記事は ABHIYAAN の September 02, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の September 02, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?