કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

કચ્છની ઐતિહાસિક વિરાસતો લોકોમાં આકર્ષણ ઊભું કરે છે. તેમાં પણ ઓછી ઊંચાઈના ડુંગરો ધરાવતા કચ્છમાં સેંકડો વર્ષોથી રાજાઓએ કિલ્લાઓ બંધાવ્યા છે. તે પહેલાં પણ સિંધુ સંસ્કૃતિના અવશેષો કચ્છમાં જ્યાં જ્યાંથી મળે છે, ત્યાં ત્યાં કિલ્લા હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આજે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું કચ્છ રાજાશાહી જમાનામાં પણ સિંધ જેવા દુશ્મન રાજ્યની ખૂબ જ નજીક હતું. તેથી જ પોતાના રાજ્યની, નગરોની અને પ્રજાની રક્ષા કરવા માટે કચ્છના રાજવીઓએ કિલ્લાઓ બાંધવાને મહત્ત્વ આપ્યું હતું. કચ્છમાં વિશેષતઃ જમીન ઉપરના કિલ્લાઓ વધુ જોવા મળે છે. ડુંગર ઉપર પણ અમુક જગ્યાએ કિલ્લાઓ બનાવાયા છે. કચ્છમાં ૩૦૦થી વધુ કિલ્લાઓ છે. રાજસ્થાનની માફક જો આ કિલ્લાઓની જાળવણી થાય, પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાય તો પ્રવાસનની દૃષ્ટિએ નવું આકર્ષણ ઊભું થઈ શકે તેમ છે.

માનવ જ્યારથી સમજણો થયો, પરિવારમાં રહેતો થયો ત્યારે ટાઢ, તડકા વરસાદથી બચવા ઘર બનાવ્યાં, પોતાની ટોળીના તાકાતવાન વ્યક્તિને તેણે મુખી તરીકે સ્વીકાર્યો. આ મુખીએ પોતાની ટોળીના રહેઠાણો માટે ગામ બનાવ્યાં અને ગામના રક્ષણ માટે કિલ્લાઓ બનાવવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે. કચ્છમાં કિલ્લાઓ શત્રુથી બચવા માટે બનાવાયા હતા. રાજાશાહી જમાનામાં સિંધ પ્રાંતના ખોસા લોકો ખૂબ લૂંટફાટ કરતા હતા. આ લોકો આસપાસના ગામમાં જઈને ઊંટ, ગાય, બકરી, ઘેટાં જેવું પશુધન લૂંટી અને ગામ સળગાવીને જતા હતા. તેનાથી રક્ષણ કરવા માટે પણ કિલ્લા કે ગઢ ખૂબ ઉપયોગી થતા હતા. સરહદી વિસ્તાર નજીકના અબડાસા તાલુકામાં તો દર ૫-૬ કિ.મી.ના અંતરે કિલ્લા જોવા મળે છે. દેશનાં અન્ય રાજ્યોના કિલ્લાની સરખામણીમાં કચ્છના કિલ્લાઓ નાના અને સાદા ગણાય છે, પરંતુ આ કિલ્લાઓ બહારી હુમલા સામે ભારે ટક્કર ઝીલીને અભેદ્ય રહ્યા હતા.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024