પ્રવાસ કેવો કરવો: ઓનલાઇન કે ઓફલાઇન?!
ABHIYAAN|April 01, 2023
‘મારી ફ્રેન્ડનું કહેવું છે કે નિર્બળ તનના અને નિર્બળ મનના લોકો એકવાર મહાબળેશ્વર જઈ આવે તો એ લોકોને બળ મળે છે અને તનથી અને મનથી બળવાન બને છે.'
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
પ્રવાસ કેવો કરવો: ઓનલાઇન કે ઓફલાઇન?!

પ્રવાસ કરવાનો સાચો આનંદ તો ત્યારે જ આવે કે જ્યારે આપણે અન્યની આર્થિક સધ્ધરતાને માન આપીને પ્રવાસ કરીએ! ‘પ્રવાસ સંહિતા’માં લખ્યું છે કે જે મનુષ્ય પોતે પ્રવાસ કરે છે એમાં નકરો સ્વાર્થ હોય છે, પણ જે વ્યક્તિ અન્યને નિઃશુલ્ક પ્રવાસ કરાવે એમાં પરમાર્થ અને પરમાર્થ સિવાય બીજું કશું જ નથી.

માણસ પોતાના માટે જ પૈસો ખર્ચે તો ભગવાન એની નોંધ ક્યારેય નહીં લે, પણ માણસ બીજાને માટે પૈસો ખર્ચે તો એનું નામ ભગવાનની ગુડબુકમાં સદાયને માટે લખાઈ જાય. આવું અર્થજ્ઞાન ધરાવતો માણસ જિંદગીમાં ક્યારેય નાના-મોટા પ્રવાસથી વંચિત નથી રહેતો. આપણા પ્રવાસયોગનો આધાર આપણા મિત્રો કે સંબંધીઓના સ્વસ્થ આર્થિક યોગ પર છે. આપણે પ્રવાસસુખ માણવું હોય તો મિત્રોના બૅન્ક બૅલેન્સનું સ્વાસ્થ્ય હંમેશાં સુધરેલું રહે એવી નિરંતર પ્રાર્થના કરવી પડે.

આપણા શ્રેષ્ઠ નિબંધકાર રસિક ઝવેરીનું એક પુસ્તક છેઃ ‘અલગારી રખડપટ્ટી.’ પ્રવાસ અને રખડપટ્ટીમાં આટલો જ ફરક – રખડપટ્ટી હંમેશાં અલગારી જ હોય, કેમ કે એમાં સૂક્ષ્મ કે સ્થૂળ - એવાં કોઈ પણ વળગણ નથી હોતાં. એ માત્ર ’ને માત્ર જાત સાથેનો પ્રવાસ છે!

પ્રવાસમાં કોઈ ને કોઈનો સહવાસ પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે ભળેલો જ હોય. ગુજરાતી સાહિત્યમાં ‘સવાયા ગુજરાતી’ તરીકે ખ્યાતિ પામેલા કાકા સાહેબ કાલેલકરે પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. જોકે આપણા રોજિંદા ખોરાક કરતાં આ (બૌદ્ધિક) ખોરાક ક્યારેક મોંઘો પડી જતો હોય છે.

કહેવાય છે કે ગુજરાતીઓને ફરવા જવાનો શોખ ન હોત તો ભારતના જ નહીં, દુનિયાના મોટા ભાગના લોકો ભૂખે મરતા હોત!

હું પણ ગુજરાતી જ છું, પણ આ બાબતે અપવાદ છું. મને હરવા ફરવાનો શોખ ખરો, પણ ઘરમાં! આ રૂમમાંથી પેલા રૂમમાં અને પેલા રૂમમાંથી કિચનમાં. ક્યારેક હવાફેર કરવા માટે બાલ્કનીમાં કે પછી વધારે હિંમત કરીને દસમા માળના ધાબે ફરી આવું.

この記事は ABHIYAAN の April 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の April 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 分  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 分  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 分  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 分  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 分  |
Abhiyaan Magazine 04/05/2024