Essayer OR - Gratuit
મેનોરેજિયા: પીડાના દિવસોથી છુટકારો મેળવી શકાય છે!
Chitralekha Gujarati
|June 05, 2023
છેવટે મહિલાઓએ જ શા માટે આટલું બધું સહન કરવાનું?

આ કૉલમમાં અગાઉ આપણે સામાન્ય માસિકચક્ર અને પીસીઓડી વિશે ચર્ચા કરી હતી. આ વખતે વાત મહિલાઓમાં સર્વસામાન્ય જોવા મળતી હૅવી પિરિયડ્સ એટલે કે મેનોરેજિયાની સમસ્યા વિશે.
મેનોરેજિયા એ અસામાન્ય રીતે હૅવી અથવા લાંબા માસિકસ્રાવ માટેનો તબીબી શબ્દ છે. માસિક દરમિયાન અનેક મહિલા સામાન્ય કરતાં વધુ દિવસો સુધી વધુપડતા સ્રાવ અને ખેંચનો અનુભવ કરે છે. દરેક સ્ત્રીમાં મેનોરેજિયાનાં લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. કેટલીક સ્ત્રીઓને એમના પ્રથમ પિરિયડ્સથી જ હંમેશાં ભારે સ્રાવ થાય છે તો અમુકને આ સમસ્યા ઘણાં વર્ષો સુધી સામાન્ય પિરિયડ રહ્યા બાદ શરૂ થાય.
મેનોરેજિયામાં સ્રાવનું પ્રમાણ એટલું વધારે હોય છે કે ઘણી વખત સ્ત્રીએ દિવસ દરમિયાન દર એક કે બે કલાકે સેનિટરી પૅડ બદલવાની જરૂર પડે. કેટલીક મહિલાઓએ અડધી રાત્રે પણ પૅડ બદલવા ઊઠવું પડે અથવા તો એકસાથે બે પૅડ્સ પહેરવા પડે. અમુક મહિલાઓને માસિકસ્રાવ દરમિયાન લોહીના મોટા ગઠ્ઠા નીકળે છે. આવી મહિલાઓના પિરિયડ્સ સાતથી વધુ દિવસ લંબાતા હોય છે. એટલું જ નહીં, કેટલીક સ્ત્રીઓને પિરિયડ્સના બે ગાળા વચ્ચે પણ રક્તસ્રાવ થતો હોય છે. આ ગાળામાં એમને એટલો દુખાવો થાય કે રોજિંદા કામમાં પણ તકલીફ પડે.
હેવી પિરિયડ્સની સમસ્યાથી પીડાતી સ્ત્રીએ એ ધ્યાન રાખવાની જરૂર છે કે સમયસર એની સારવાર ન કરાય તો એનીમિયા થવાની શક્યતા વધી જાય છે, જેને કારણે સ્ત્રી શારીરિક નબળાઈ, થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાનો ભોગ બની શકે.
Cette histoire est tirée de l'édition June 05, 2023 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size