ડિયર નૅચર,
વિદેશથી આવેલા ચિત્તાઓને આપણે હજી ઠેકાણે પાડી શક્યા નથી. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સપ્ટેમ્બરમાં આફ્રિકાના બે જુદા જુદા દેશમાંથી ચિત્તા લાવી અને મધ્ય પ્રદેશના કુત્તો નૅશનલ પાર્ક માં વસાવવામાં આવ્યા, પણ એમને આ જંગલ માફક ના આવ્યું કે પછી બીજા કારણસર ૫૦ ટકા ચિત્તા મૃત્યુ પામ્યા. એ પછી ચિત્તા સમાચાર માંથી ગાયબ થયા હતા તે પાછા સમાચારમાં ચમક્યા છે.
કેન્દ્ર સરકારે કચ્છના વિશિષ્ટ ગણાતા બન્ની વિસ્તારમાં આ ચિત્તાને વસાવવા માટે મંજૂરી આપી છે. પહેલાં ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર બનશે અને પછી ત્યાં ચિત્તાની સંખ્યા વધતી જશે, પણ સમસ્યા એ છે કે બન્નીમાં ચિત્તા વસી શકે, બન્ની ચિત્તાનું ઘર બની શકે એ માટે પૂરતી વ્યવસ્થા છે કે કેમ? એ વિશે કોઈ અભ્યાસ થયો નથી. બીજી બાજુ, બન્નીના માલધારી ઓ અને એ વિસ્તારના અગ્રણીઓ દ્વારા કેન્દ્ર સરકારની આ યોજનાનો વિરોધ શરૂ થઈ ગયો છે.
આપણે ત્યાં સમસ્યા એ છે કે કોઈ પણ નવી વાત પૂરા અભ્યાસ વિના શરૂ થઈ જાય છે અને એનો વિરોધ પણ કેટલીક વાર ઉતાવળમાં શરૂ થઈ જાય છે.
જો કે અહીં પહેલો સવાલ એ છે કે બન્નીમાં ચિત્તાનું ઘર બની શકે એમ છે? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે ફ્લેશ-બેંકમાં જવું પડે એમ છે.
વર્ષો પહેલાં તો ભારતમાં ચિત્તાની સંખ્યા ઘણી મોટી હતી. પછી રાજા-રજવાડાંઓના કાળમાં ચિત્તાના શિકારનો જાણે જુવાળ ફાટી નીકળ્યો, જે અંગ્રેજ શાસનમાં પણ ચાલુ રહ્યો. થયું એવું કે કુદરતી વાતાવરણમાં એ પછી એકેય ચિત્તો રહ્યો નહીં અને પરિણામે આઝાદી મળ્યા બાદ ૧૯૫૨ માં ચિત્તાને ભારતમાં વિલુપ્ત થતું પ્રાણી જાહેર કરવામાં આવ્યું. એ પછી ૭૧ વર્ષે આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવ્યા, પણ અહીં એ થાળે પડી શકે છે કે નહીં એ જોવાનો પ્રયોગ હજુ પૂરો સફળ થયો નથી.
Esta historia es de la edición January 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક્ઝિટ પોલનું પોલંપોલ...
ચૂંટણીનાં પરિણામની પહેલાં ટીઆરપી મેળવવાનું હાથવગું સાધન બની જનારા એક્ઝિટ પોલ અર્થાત્ ઈલેક્શન રિઝલ્ટની અટકળો આ વખતે સાવ જ ફારસ બની રહી. એક્ઝિટ પોલનું શાસ્ત્ર ક્યારેક અતિ સચોટ તો ક્યારેક સાવ નિષ્ફળ કેમ રહે છે?
બાળકોને શક્તિ-સ્ફૂર્તિ બક્ષવાના આ છે વિકલ્પ...
ઊછળવા-કૂદવા-રમવાની ઉંમરે જરૂર આપો પ્રોટીનસભર ખોરાક.
કોણ છે કરાચીની આ વડા-પાંઉ ગર્લ?
સોશિયલ મિડિયામાં અત્યારે એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં પાકિસ્તાનની ગલીમાં સ્વાદપ્રેમી લોકો હિંદુસ્તાની ફડની લિજ્જત માણતાં દેખાય છે. ચાલો માણીએ, કરાચીવાસીઓની જીભે ઈન્ડિયન સ્ટ્રીટ ફડનો સ્વાદ વળગાડનારી મૂળ મોરબીની યુવતી સાથે એની સ્વાદસફર.
વહેલ શાર્ક માટે સૌરાષ્ટ્રનો દરિયો બન્યો છે પિયર
ખારાં પાણીમાં મીઠી વીરડી આઠ જૂન એટલે ‘વર્લ્ડ ઑશન ડે.’ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે જુદા જુદા સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે, એમાં ગુજરાત પણ એક ટોચનું રાજ્ય બન્યું છે. લુપ્ત થઈ રહેલી વહેલ શાર્ક માછલીને બચાવવા સૌરાષ્ટ્રના કિનારે ઊડીને આંખે વળગે એવું કાર્ય લોકભાગીદારીથી થઈ રહ્યું છે. મોરારિબાપુની સંવેદનાસભર અપીલ સાથે બે દાયકા પૂર્વે શરૂ થયેલી ઝુંબેશનાં હૈયું હરખાય એવાં પરિણામ સામે આવ્યાં છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૯૫૦થી વધુ વહેલ શાર્કને દરિયામાં મુક્ત કરવામાં આવી છે. દરિયાઈ જીવ બચાવવાનું આવું ઉમદા કાર્ય દુનિયાના કોઈ ખૂણે થયું નથી.
આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...
અઢારમી લોકસભા ચૂંટણી યાદ રહેશે જે રીતે એ લડાઈ, જે રીતે એક્ઝિટ પોલમાં ઓમ ધબાય નમઃ થયું ને જે રીતે ચાર જૂને ટીવીવાળા ભોંઠા પડ્યા એ માટે... કહો કે ઈલેક્શન કરતાં એના તોરતરીકા મજેદાર હતા.
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.